નીચા દરવાજા – ખલીલ ધનતેજવી

નીચા દરવાજાની મજબૂરી નિભાવી લઈએ,

એવું ઘર હો તો જરા માથું નમાવી લઈએ.

 .

પાંદડાં તૂટે ને કરગરવું પડે તે કરતાં,

ચાલ રિસાયેલી મોસમને મનાવી લઈએ.

 .

ક્યાંક આંખોથી, ગઝલથી કે મુસ્કુરાહટથી,

કોઈ પણ રીતે અમે કામો કઢાવી લઈએ.

 .

એક આંસુનું વજન ટેરવું ઝીલે તો પછી,

આપણે ખોબામાં પરવતને ઉઠાવી લઈએ.

 .

ભાગ્યરેખાની જરા ઊંઘ ઊડે તે માટે,

એનું સરનામું હથેળીમાં લખાવી લઈએ.

 .

પાનખર ઘરમાં કદાચ આવી ચડે તે પહેલાં,

ફૂલદાનીને ઝરૂખેથી હટાવી લઈએ.

 .

છો ખલીલ આજે નજર ફંફોસે ચેહરા સૌના,

આજ આ થાકેલી આંખોને તપાવી લઈએ.

.

( ખલીલ ધનતેજવી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.