એ જ છે ! – નીરજ મહેતા

આ બધું બનવાનું કારણ એ જ છે

ના બને તો પણ અકારણ એ જ છે

 .

ઝેર પણ એ છે  ‘ને મારણ એ જ છે

રામ તો એ છે જ, રાવણ એ જ છે

 .

માગી લે સઘળું ‘ને આપી દે બધું

એ જ દાતા છે ‘ને માગણ એ જ છે

.

લોહીમાં થાતું જે રણઝણ એ જ છે

એ જ કારણ છે નિવારણ એ જ છે

 .

શબ્દનો સિક્કો ઉછાળી તો જુઓ

બોલશે આકાશ તત્ક્ષણ એ જ છે

 .

જીવવાનું તું રસાયણ પૂછ મા

ગાળવા ‘હું’ શ્રેષ્ઠ દ્રાવણ એ જ છે

 .

દશ દિશાઓમાં બધે વ્યાપી રહ્યો

શૂન્યની જે પણ તરફ ગણ-એ જ છે

.

( નીરજ મહેતા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.