કોઈ ક્યારેય પણ – ભાવેશ ભટ્ટ

કોઈ ક્યારેય પણ ઉદાસ ના થાય,

થાય તો મારી આસપાસ ના થાય !

 .

એક દિ સૂર્ય ના ઊગ્યો, તો થયું,

ક્યાંક મારી ઉલટ-તપાસ ના થાય !

 .

જો વીતે આપના વિચાર વગર,

એ દિવસ મનનો ઊપવાસ ના થાય ?

 .

એ રીતે કોઈ ભીંત શણગારો,

કે બીજી ભીંત નાસીપાસ ના થાય.

 .

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં,

એમ ઈચ્છું કે એ નપાસ ના થાય !

 .

વૃક્ષને પામીને ન પામ્યા, જો,

ડાળીએ ડાળીએ પ્રવાસ ના થાય.

.

( ભાવેશ ભટ્ટ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.