બે લઘુકાવ્યો – એસ. એસ. રાહી Feb24 (૧) ગ્રીષ્મની પૂનમ રાતે સૂકાઈ ગયેલા સરોવરને કાંઠે મારા અવાવરું સ્વપ્નો વેચી, બદલામાં ખરીદું છું મુઠ્ઠી પતંગિયાઓ ! . (૨) તારી પ્રતીક્ષામાં હજુ પણ ઉઘાડી નથી મેં મારી બંધ મુઠ્ઠી જ્યારે તું આવશે અને મુઠ્ઠી ખોલશે ત્યારે એમાં તું શોધી શકીશ મારા ગત જન્મની કથાઓ-વ્યથાઓ ! . ( એસ. એસ. રાહી )