તો શું થશે ? – આહમદ મકારણી

સભામાં ચૂપ સૌ હેરાન સૌ કો’ આંગળી ઊંચી થશે તો શું થશે ?

મૂંઝવણ સહદેવ જેવી થૈ જતી લાગે મને પૂછી જશે તો શું થશે ?

.

અશ્રુધારા આજ પણ વ્હેતી રહી છે એ સનમની યાદામં ને યાદમાં !

એ સનમ આવી અહીં મારાં અશ્રુ ખુદ જો લૂછી જશે તો શું થશે ?

.

હું ગઝલ ગાતો રહ્યો આંખો મીંચીને મોજમાં ને મોજમાં મહેફિલ મહીં,

ને અચાનક સર્વ શ્રોતા અધવચ્ચે મહેફિલને છોડી જશે તો શું થશે ?

.

જીવરૂપી એક કેદી બંધ છે આ જિંદગીની જેલમાં વર્ષો થયાં,

ને અચાનક મોત આવી જેલ તોડીજીવ લૈ ભાગી જશે તો શું થશે ?

.

બુદ્ધની માફક અચાનક ‘ગૃહ છોડું, ગૃહ છોડું’નું રટણ કરતો રહું,

ને ખરે ટાણે જ વિચારો વચાળે ગૃહિણી જાગી જશે તો શું થશે ?

.

( આહમદ મકારણી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.