પ્રાર્થના – ઇયાન્લા વાન્ઝાન્ટ

મારી આજની દિનચર્યા સાંભળવા માટે હું તમને વિનંતી કરું છું.

 .

મારા જીવનની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જે તમારામાંથી મારું મન વિચલિત કરે એ બધાને તમે કાઢી નાખો.

 .

મારા મનમાં કોઈ પણ વિચાર કે માન્યતા કે પ્રયોજન-એ તમારા તરફ પ્રોત્સાહિત ન કરતાં હોય કે જ્યાં તમારી મહત્તા ન હોય એ બધાંને કાઢી નાખો.

 .

મારા હૃદયનાં દરેક અનુભવ, સ્મૃતિ કે ઈચ્છા-જેમાં તમારો હેતુ ન સરતો હોય એ-તમે લઈ લો. મને હંમેશાં એ સ્મરણમાં રહે કે જે તમારી યોજનામાં મારે માટે પ્રેમ છે એ જ મારી મુક્તિ છે. બાકી બધું જ મારી કલ્પના અને ભયનું જ કારણ છે.

 .

મારા વહાલા પ્રભુ, હું સમજું છું કે મારે તમને કેવી રીતે પ્રાર્થંના કરવી એ પણ મને આવડતું નથી. તમારા આશીર્વાદ એ માટે યાચું છું.

 .

( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )

Share this

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.