આવવાનું ને જવાનું થાય છે – ચિરાગ ઝા “ઝાઝી”

આવવાનું ને જવાનું થાય છે
આપણાથી ક્યાં કશું રોકાય છે.

એક ઈચ્છા રોજ ઈશુ થઈ જાય છે,
અવદશાના સ્તંભ પર દેખાય છે !

ચાંચ મારી એક ચકલી ઊડી ગઈ,
ને અરીસો એકલો અકળાય છે.

માત્ર પૂઠું જોઈ પુસ્તક લઈ ગયાં,
એ વગર વાંચે બધે અથડાય છે.

નીકળી ગઈ ચીસ સારસની પછી,
એજ લયમાં ગીત પણ સરજાય છે.

જીવને ઝાઝી ભલે લય ના મળે,
મૃત્યુ છંદોબદ્ધ રીતે ગાય છે.

( ચિરાગ ઝા “ઝાઝી” )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.