પ્રશ્ન સનાતન-જયંતી જડિયા

વાદળોને પણ સૂર્યના તડકાનો
લાગતો હશે તાપ
એટલે
વરસાદને બહાને રડી લેતા હશે ?
વૃક્ષોને પણ પર્ણ-ફૂલો-ડાળનો
સહેવાય નહીં ભાર
એટલે
એ પાનખરની રાહ શું જોતા હશે ?
આંખમાં ઉમટેલ સાગરના તરંગો
કેટલાક કરવા સહન,
એટલે શું
અશ્રુધારા થઈ ટપકતા હશે ?

( જયંતી જડિયા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.