દર્પણમાંથી બહાર નીકળ તો
દુનિયા જોવા મળશે !
પરપટાની ટોચ ઉપર તું
ઝબકારે ઝળહળશે !….
બહાર નીકળતા મહિના-વરસો-યુગ કૈં બદલાઈ જશે !
હર વળાંક પર વળતો રસ્તો સામેથી સમજાઈ જશે !
પગલે-પગલે પરવાળાના
લોઢે-લોઢ ઊછળશે !…..
તથ્ય હોય શું નામ-રૂપમાં ક્ષણમાં એ અણસાર મળે !
માર પલાંઠી અમરાપુઅરનું ભીતર ખૂલતું દ્વાર મળે !
અંદરના અઢળક અજવાળે
ફેરે-ફેરો ફળશે !…..
સુખ ક્યાં છે જાણ થવાની સચરાચરની પાર જઈ !
જીવ ઝબોળી માણ સમયને સથવારામાં સ્વર્ગ લઈ !
વેદ-મંત્ર થઈ દિશા-દિશાઓ
ખુદને ઘેરી વળશે !…..
( દિલીપ જોશી )