કબીરની વાત-શૈલેશ ટેવાણી

કબીરની વાત કરે ને છતાં કબીર ન હો,
ઘણું યે કાંતવાનું હો છતાં મલીર ન હો.

શબદ કહે કહે ને મૌનની સમજ ન પડે,
અરથ કહે, ગઝલ કહે છતાં યે મીર ન હો.

ન હો નાનક, ન હો નરસિંહ ન તુકારામ મીરાં,
ગહન ન પીડ તો સ્થવીર કે ફકીર ન હો.

ઘૂંટે નહિ, શ્વસે નહિ, રૂદનમાં થિર નહિ,
ન સીતા દ્વૌપદી કે ઉત્તરાની ધીર ન હો.

સવાલ એટલો જ હોય શબદ મૌન વિશે,
શું હો સૂરણ શું વિસ્તરણ કી અધીર ન હો.

( શૈલેશ ટેવાણી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.