કબીરની વાત કરે ને છતાં કબીર ન હો,
ઘણું યે કાંતવાનું હો છતાં મલીર ન હો.
શબદ કહે કહે ને મૌનની સમજ ન પડે,
અરથ કહે, ગઝલ કહે છતાં યે મીર ન હો.
ન હો નાનક, ન હો નરસિંહ ન તુકારામ મીરાં,
ગહન ન પીડ તો સ્થવીર કે ફકીર ન હો.
ઘૂંટે નહિ, શ્વસે નહિ, રૂદનમાં થિર નહિ,
ન સીતા દ્વૌપદી કે ઉત્તરાની ધીર ન હો.
સવાલ એટલો જ હોય શબદ મૌન વિશે,
શું હો સૂરણ શું વિસ્તરણ કી અધીર ન હો.
( શૈલેશ ટેવાણી )