મારા આંસુનું કારણ-પન્ના નાયક

મને ખબર ન પડે એમ
એક બાઈ
મારામાં ઘર કરી ગઈ છે.
એ એમ માને છે
કે
હું અને એ બન્ને એક જ છીએ
પણ હરગિજ
અમે એક નથી જ નથી
હું તો આનંદી, સંતોષી, ને સ્વચ્છંદી
ને
એ તો સદાયની અસંતોષી ને કકળાટિયણ
એને વારે વારે આવે છે રડવું
એટલે
બેગ ભરીને લાવેલા રૂમાલથી
લૂછ્યા કરે છે પોતાની આંખો,
નીચોવ્યા કરે છે આંસુભીના રૂમાલ એ કૂવામાં,
ને માપ્યા કરે છે એની સપાટી.
માલિક થઈ મને કબજામાં રાખવાના
એના અવિરત પ્રયત્નોમાં
હું એને ઝાઝી સફળ થવા દેતી નથી
એટલે એ બળ્યા કરતી હોય છે
ધુંધવાતા કોલસાની જેમ.
ક્યારેક મારા આંસુ
એને કારણે હોય છે.

( પન્ના નાયક )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.