કોરાશ-પન્ના નાયક

એક દિવસ
હું
તારે માટે
ગુલાબનું ફૂલ લઈને આવી.
મને એમ કે
એની સુગંધથી
તું છલકાઈ જશે.
પણ
બાજુએ રહી ગઈ સુગંધની વાત.
તું બોલ્યો : મને કાંટા વાગ્યા.

પાછી ફરી એક વાર
એક દિવસ
હું તારે માટે
ખોબો ભરીને જળ લાવી.
મને એમ કે
જળ જોઈને
તારી તરસ ઊઘડશે
પણ તું બોલ્યો : મને જળના છાંટા વાગ્યા.

હવે
મારી પાસે છે કેવળ
હથેળીની કોરી રેખાઓ….

તારે કંઈ કહેવું છે ?

( પન્ના નાયક )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.