એકાંતનો માળો-પન્ના નાયક

મારા ઘરમાં જ એક બગીચો છે
ફૂલોથી સભર
ને
તરબતર.
મને ફૂલોની તરસ લાગી છે
અને
સુગંધની શાંતિને
હું ગટગટાવું છું.

મારા ઘરમાં જ
અનેક પહાડો છે
આ પહાડો સૌજન્યશીલ છે
એ સૂરજને રૂંધતા નથી
કુમળાં કિરણોનું ગળું દબાવતા નથી.

મારા ઘરમાં જ
એક દરિયો પણ છે
અને એનાં અનંત મોજાં ઊછળ્યાં કરે છે
માછલીઓ નિરાંતને જીવે તર્યા કરે છે.

હું એ દરિયાનાં મોજાં પર
નાનો અમથો માળો બાંધીને
ક્યારેક એકલી એકલી
મારા એકાંતને માણ્યા કરતી હોઉં છું.

( પન્ના નાયક )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.