ટહુકો-પ્રીતમ લખલાણી

૧.
રાત્રે આ ટમટમતા તારા
એ બીજું કાંઈ નથી.
પણ દિવસે
પંખી ચાંચે આભમાં
વેરાઈ ગયેલા
ટહુકા જ હોય છે.

૨.
કોઈ ઢળતી સાંજે
પંખી ટહુકે ત્યારે
પીંજરું પીગળીને
આભ થઈ જતું હોય છે.


ઊડી જતો
ટહુકો
એવું તે શું કહી ગયો
કે પર્ણ
લાલ-પીળાં થઈ ગયાં ?

૪.
પંખી પૂછે ડાળને
‘જોઈએ છે
ટહુકો ?
તો બોલો તે
કઈ ઢગલીમાં હશે ?’

( પ્રીતમ લખલાણી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.