૧.
રાત્રે આ ટમટમતા તારા
એ બીજું કાંઈ નથી.
પણ દિવસે
પંખી ચાંચે આભમાં
વેરાઈ ગયેલા
ટહુકા જ હોય છે.
૨.
કોઈ ઢળતી સાંજે
પંખી ટહુકે ત્યારે
પીંજરું પીગળીને
આભ થઈ જતું હોય છે.
૩
ઊડી જતો
ટહુકો
એવું તે શું કહી ગયો
કે પર્ણ
લાલ-પીળાં થઈ ગયાં ?
૪.
પંખી પૂછે ડાળને
‘જોઈએ છે
ટહુકો ?
તો બોલો તે
કઈ ઢગલીમાં હશે ?’
( પ્રીતમ લખલાણી )