ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ?
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

શા કારણથી કલબતાં ખગ, પૂરવ દીસતાં ભાણ ?
શાથી જલમાં પ્રગટે અગ્નિ ! ઉદ્ધવ ! કહો સુજાણ !
વાદળ વરસે ધોધમાર; કોઈ પીએ, ઝીલે કે ન્હાય;
ધરતીમાંથી તૃણ પ્રગટે, હૃદયે એવું શું થાય ?!

પ્રેમ પદારથ વિરલ જગે, જ્યાં જ્યાં ગોકુળ ત્યાં ગળે !
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

કુશળ ગવૈયા વ્રજે ઘણા, જે ગાઈ દીપ પ્રગટાવે;
માધવ વીણ તો કોણ ભીતરી અંધારું અળપાવે ?
રોષ કરે, વલવલે, પવનની સાથે ઝગડી પડે;
અણસમજુ, રેતીનો કૂબો તૂટ્યાથી પણ રડે !

ઝૂરો જનમભર, પણ માધવને મળવું હોય તો મળે !

શી રીતે સૂરજ કે જલ વીણ વૃક્ષ બાપડું ફળે ?
ઉદ્ધવજી ! જો કૃષ્ણ નથી, તો જીવવું શાનાં બળે ?

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.