ઉદ્ધવ ગીત-વીરુ પુરોહિત

તમે અહીંથી જાઓ, ઉદ્ધવ !
ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે !

તમે આવતાં, ઉદ્ધવ ! આજે અમે;
છેલ્લું પાનેય ખરી ગયેલાં વૃક્ષ સમા થૈ ગયાં !
ધૂપ હતા અગરું-ચંદનનો પહેલાં;
આજે આટાકટના વ્યર્થ ગણાતા ધૂમ્ર બની રહી ગયા !

ન’તા જાણતા : ઘટ ભરવાથી;
ઘટ સંગાથે સીંચણિયું પણ ડૂબશે, લથબથ થાશે !
તમે અહીંથી જાઓ, ઉદ્ધવ !
ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે !

ચકલીઓને પાર જવાની હોંશ;
પરંતુ અંતે થાકી સમુદ્રમાં ડૂબાડી દે છે જાત !
નહીં છલકાશે ઊંડો-સૂકો કૂપ;
ભલેને પક્ષીઓનાં મર્મ વિદારક, ક્રંદન હો’ દિન-રાત !

એક દિવસ જોજો, ઉદ્ધવજી !
માધવ સારુ સારેલાં અશ્રુ અમૃત કહેવાશે !

તમે અહીંથી જાઓ, ઉદ્ધવ !
ક્યાંક, કૃષ્ણની વાતો કરતાં હૈયું ફાટી જાશે !

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.