વકરેલો ઘાવ-હરકિસન જોષી

ઔષધથી રોગ ઊલટાનો વિફર્યો છે વૈદ્યજી !
મરહમ લાગડ્યો ઘાવ તો વકર્યો છે વૈદ્યજી !

જ્વર શોધવાને રોજ શું નાડી તપાસો છો !
નખ શિખ પૂરા દેહમાં પ્રસર્યો છે વૈદ્યજી !

અંગોને શેકવાની સલાહ દઈ રહ્યા છો પણ;
ભીતરનો મર્જ જન્મથી તરસ્યો છે વૈદ્યજી !

એ પાનખર વસંત શરદ થઈ રહ્યો હવે;
આષાઢી મેઘ થઈને ગરજ્યો છે વૈદ્યજી !

વણસ્પર્શ્યો રહી બેઠો હતો અંત:કરણમાં,
વીજળીની જેમ આજ વરસ્યો છે વૈદ્યજી !

( હરકિસન જોષી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.