વકરેલો ઘાવ-હરકિસન જોષી

લયબદ્ધતા હૃદયની તપાસી લ્યો વૈદ્યજી !
શ્વાસોની ઊંડી ઊંડી તલાસી લ્યો વૈદ્યજી !

ખોટી જગાએ દ્વાર જો ઊઘડી ગયા દિશે;
જલદીથી જડી પાટિયાં વાસી લ્યો વૈદ્યજી !

કથળેલું સ્વાસ્થ્ય હોય છે આપણ બધા કને;
બેસીને મારા ખાટલે ખાંસી લ્યો વૈદ્યજી !

આગળ ગળાથી કાંઈ ઊતરતું નથી હવે,
નસ્તરથી કંઠ થોડો તરાસી લ્યો વૈદ્યજી !

નાડી ન હાથ આવે ને ફરકે ન પાંપણો,
ઢાંકીને શ્વેત વસ્ત્ર ઉદાસી લ્યો વૈદ્યજી !

( હરકિસન જોષી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.