અમે !-કરસનદાસ લુહાર

લો, અલખના ઓટલે બેસી ચલમ પીધી અમે,
ને પળોને ઘેનથી ઘેઘૂર-ઘટ્ટ કીધી અમે.

કે, વળાંકો કેટલા આવ્યા હતા વચ્ચે; નકર-
ચાલવાને કેડી પકડી’તી સરળ-સીધી અમે.

કે, ન’તું મંજૂર જેને ખુશ થવું ક્યારેય પણ;
વેદના સઘળીય એની આંચકી લીધી અમે.

સ્પષ્ટ ને સહેલાઈની એવી પળોજણમાં પડ્યા;
ને સરળતાથી કરી દીધી જટિલ વિધિ અમે.

શ્વાસ કરતાંયે વધારે એમની નિકટ ગયા;
તોય ના પામ્યા અરેરે સહેજ સન્નિધિ અમે !

( કરસનદાસ લુહાર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.