૧.
પ્રિયતમામાંથી
પત્ની થવા
સ્ત્રી
આખું આયખું
લાગણીના કિચનમાં
અને
સંબંધોના
લિવિંગરૂમમાં
ખર્ચી નાખે છે !
૨.
બિચારી
સ્ત્રીએ
જીવનના
પ્રત્યેક તબક્કે
ઘરના ઉંબરનો
ખ્યાલ કરવો પડે છે !
૩.
ફળફૂલથી
લચી પડેલી ડાળથી,
પાંખ ફૂટતાં જ
માળેથી ઊડી ગયેલાં પંખીની,
પાનખરમાં રાહ જોતાં વૃક્ષની
પીડાને
જો આપણે સમજી શકીએ તો,
સ્ત્રીની જીવનવ્યથાને
સમજી શકીએ !
( પ્રીતમ લખલાણી )