ક્ષણનો ઉદ્દગાર-જગદીશ ગુર્જર

હું આદિ-અનાદિનો વ્યાપાર છું,
પરમ ચેતનાનો, હું આકાર છું.

તમે જોઈ લ્યો, અન્યથી પર નથી,
નિરાકાર છું, શુદ્ધ સાકાર છું.

આ વ્યક્તિત્વનું હું સ્વયમ કેન્દ્ર છું,
ચિદાકાશનો સહજ સત્કાર છું.

આ વળગણ છે શેનાં…ને જંજાળ શી,
અહમથી અલગ એક ચિત્કાર છું.

આ કોલાહલોમાં તને શોધતો,
હું અસ્તિત્વનો એક ચમત્કાર છું.

મેં દરિયો અલખનો ઉલેચી લીધો,
અતિ ધન્ય ક્ષણનો હું ઉદ્દગાર છું.

( જગદીશ ગુર્જર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.