પ્રશ્ન થાય છે-નીતા રામૈયા

સૂર્યોદય કે સૂર્યાસ્ત જોઈને
આશ્ચર્ય પામીએ
એવાં આપણે રહ્યાં નથી
તારાખચિત આકાશ
વરસાદની ઝરમર
કે સાંજુકના
દોસ્તના ખભા ઉપર હાથ રાખીને
દરિયાના પાણીમાં
પગ ઝબોળવાના દિવસોથી
ઘણાં દૂર નીકળી ગયાં છીએ

હવે તો
જિંદગી જોઈએ જિંદગી
ગીતડાં કવિતડાં લયનાં ગૂંચળાં
ને કલ્પનોનાં ફીંડલાંનો
ટીંબો કરીને
આગ ચાંપવી સારી

કશું જ
નિપજાવી ન શકે
એવી સફાઈદાર કે ભભકભરી
પંક્તિઓનો ગંજ
ખટારામાં ભરી
દરિયામાં ક્યારે પધરાવશું

એકવાર તો
અંધારપટ છવાય કે વીજળી ત્રાટકે
સાકરની ચાસણીમાં ઝબોળાયેલ
જલેબીનાં ગૂંચળાં જેવાં
લયબદ્ધ આવર્તનો ઉપર

પ્રશ્ન થાય છે કે
કવિતાનો પૂંછડિયો તારો
શબ્દાકાશમાં ક્યારે ઘૂમરાશે

( નીતા રામૈયા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.