જો આમ આવે-ધ્રુવ ભટ્ટ

અમારી છે આંખો અમારાં છે ચશ્માં કહે તારા દર્શનથી શું ભાન આવે ?
તમારા છે ગ્રંથો તમારી જ વાણી કહો કેમ કરતાં મને ગ્યાન આવે ?

મને તું જમાના ન બતલાવ રસ્તા જનમ આ કે પછીના જનમના
મને ક્યાં ખબર છે કે જન્મો તે શું છે અમે તો હતાં ત્યાં ઘણાં ગામ આવે.

અમે ‘કોણ હું ?’ જેવી પરવા કરી નહીં, ન પૂછી તને મેં તમારીયે ઓળખ
ઘણાં હોય પાત્રો ઘણી હોય ઘટના બીજું તો કહાણીમાં શું કામ આવે ?

અમે કંઈ ન જાણ્યું નથી કાંઈ માંડ્યું જરા બસ આ બેસીને ગીતો જ ગાયાં
અને ફક્ત ભરકંઠ પીવાનું સમજ્યા ભલે જામ આવે કે અંજામ આવે

અમારે નથી કોઈ મંજિલ કે સસ્તા ખૂટે કે વિસામેય રોકાઈ જઈએ
મુકામો ઉતારા બધુંયે અમારું આ મારગની માટીમાં રમમાણ આવે

ના ભણવું ન ગણવું રખડવું રઝડવું મને ક્યાંય પુસ્તકનાં પાનાં અડ્યાં નહીં
મને જે અડ્યા તે તરતમાં હવા થઈ તરતમાં નદી થઈને જો આમ આવે

( ધ્રુવ ભટ્ટ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.