લલિત, શું થયું’તું રાતોરાત કાગળ પર,
કહો, શું થૈ ગયું’તું આત્મસાત કાગળ પર ?
વળું વળોટી ગઈ છે નિરાંત કાગળ પર,
કરીને બેઠા છીએ દૂજી બાત કાગળ પર !
ન તેજ તેજ હતું કે તિમિર તિમિર ન હતું,
ને સૂરદાસની હતી મિરાત કાગળ પર !
મરુત ઉન્ચાસ હવે વીંઝણાઓ ઢોળે છે,
કર્યો છે કોણે એવો ઝંઝાવાત કાગળ પર ?
રૂની પૂણીને પેટાવી સહજ ટંકાર કર્યો,
શરીર થૈને બેઠો’તો જિનાત કાગળ પર !
પછી અભ્યાસ એનો એવો જાગી ગ્યો જોગી,
કે એણે જીવતા માંડી સમાત કાગળ પર !
હર્યા છે નખ ને વાળી દીધી ભખને વાણીમાં,
લલિતાસુરને કર્યા મહાત કાગળ પર !
( લલિત ત્રિવેદી )