કાગળ પર-લલિત ત્રિવેદી

લલિત, શું થયું’તું રાતોરાત કાગળ પર,
કહો, શું થૈ ગયું’તું આત્મસાત કાગળ પર ?

વળું વળોટી ગઈ છે નિરાંત કાગળ પર,
કરીને બેઠા છીએ દૂજી બાત કાગળ પર !

ન તેજ તેજ હતું કે તિમિર તિમિર ન હતું,
ને સૂરદાસની હતી મિરાત કાગળ પર !

મરુત ઉન્ચાસ હવે વીંઝણાઓ ઢોળે છે,
કર્યો છે કોણે એવો ઝંઝાવાત કાગળ પર ?

રૂની પૂણીને પેટાવી સહજ ટંકાર કર્યો,
શરીર થૈને બેઠો’તો જિનાત કાગળ પર !

પછી અભ્યાસ એનો એવો જાગી ગ્યો જોગી,
કે એણે જીવતા માંડી સમાત કાગળ પર !

હર્યા છે નખ ને વાળી દીધી ભખને વાણીમાં,
લલિતાસુરને કર્યા મહાત કાગળ પર !

( લલિત ત્રિવેદી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.