ગાંઠ ઉકેલવી છે ?-તુષાર શુક્લ

ગાંઠ ઉકેલવી છે ?
તો… ગુરુ જોઈએ.
આપણાથી જે ન બને તે ગુરુઆશિષથી બને.
ગુરુ શું કરે છે ?
શિષ્યની ગ્રંથિઓને એક પછી એક ખોલતા જાય છે.
જ્યારે આપણે ગ્રંથિરહિત મુક્ત માનવ બનીએ
ત્યારે આપણે ઈશ્વરની સન્મુખ હોઈએ છીએ.
ગાંઠ હોય ત્યાં સુધી વિમુખ, ગાંઠ છૂટે ત્યારે સન્મુખ !

આપણે ઈશ્વરના ચિત્રમાં
આપણી ઈચ્છાના રંગ પૂરવા વ્યર્થ મથીએ છીએ.
જે ઘડીએ ઈશ્વરની ઈચ્છાને અનુકૂળ બનીએ
એ જ ક્ષણે આપણું આખું અસ્તિત્વ રંગાઈ જાય છે.
પછી મારું-તારું રહેતું નથી. રંગાયેલા સહુ એક જ લાગે છે.

રંગમાં રમમાણ થવાય પછી જ સાચું રંગાયા કહેવાઈએ.
રંગોત્સવનું જ નામ વર્ષગાંઠ !

( તુષાર શુક્લ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.