એક ઉપયોગ-તુષાર શુક્લ

ગાંઠનો એક ઉપયોગ છે
તૂટતાને, છૂટતાને જોડવા માટે, સાથે રાખવા માટે,
સંબંધાવા માટે.

હિન્દુ વિધિમાં લગ્નપ્રસંગે બંધાતી છેડછેડી
પણ એક ગાંઠ જ છે.
લગ્નગ્રંથિ શબ્દમાં ગ્રંથિ છે જ
લગ્ન એટલે બે જણનું સાથે હોવું.
ગ્રંથિ એટલે એમનું સાથે જોડાવું.
એ જોડે છે, અને છૂટા થતાં રોકે છે.
છેડાછેડીને છૂટાછેડામાં પરિણમતા અટકાવે છે.

ગાંઠનો આ હકારાત્મક ઉપયોગ છે.
પરંતુ કેટલાક સંબંધમાં આ ગાંઠ જ
ગાંઠ પડ્યાની પીડા બની જાય છે.
કોઈક એને છોડવા
કોઈક એને તોડવા
તો કોઈક એને વેંઢારવા મથે છે !

( તુષાર શુક્લ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.