વર્ષગાંઠે એક વધુ વર્ષ બંધાય છે,
અનુસંધાય છે જીવન સાથે.
આ નવા વર્ષનું આગમન આનંદદાયી તો જ બને
જો વીતેલા વર્ષોની ગાંઠોનો ભાર પીડા ન બને.
વળી એક વર્ષ…વળી એક ગાંઠ…
આવો ભાવ મનમાં હોય તો ન જ ઉજવાય વર્ષગાંઠ.
વર્ષગાંઠ બંધન નહિ,
અનુસંધાન બની રહે જીવનનું
તો જ ગમે ગાંઠને ઉજવવાનું.
( તુષાર શુક્લ )