વર્ષગાંઠે-તુષાર શુક્લ

વર્ષગાંઠે એક વધુ વર્ષ બંધાય છે,
અનુસંધાય છે જીવન સાથે.
આ નવા વર્ષનું આગમન આનંદદાયી તો જ બને
જો વીતેલા વર્ષોની ગાંઠોનો ભાર પીડા ન બને.

વળી એક વર્ષ…વળી એક ગાંઠ…
આવો ભાવ મનમાં હોય તો ન જ ઉજવાય વર્ષગાંઠ.
વર્ષગાંઠ બંધન નહિ,
અનુસંધાન બની રહે જીવનનું
તો જ ગમે ગાંઠને ઉજવવાનું.

( તુષાર શુક્લ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.