કેટલાક વળી-તુષાર શુક્લ

કેટલાક વળી વર્ષગાંઠે ઉદાસ બની જાય છે
વિચારે છે કે એક વર્ષ ઓછું થયું…
વિચારી તો એમ પણ શકાય ને કે એક વર્ષ વધ્યું?!
પ્યાલો અરધો ખાલી ય છે.
પ્યાલો અરધો ભરલો ય છે.
બંને સત્ય છે!

સવાલ સમજણનો છે. દ્રષ્ટિનો છે.
જે જીવનને માણે છે એ વધઘટના હિસાબમાં નથી અટવાતા.
જે વર્ષોને વેડફે છે એ જ વર્ષ ઘટ્યાનાં રોદણાં રડે છે.
સમય ન હોવાની ફરિયાદ કરનારાનું સમયપત્રક જ,
વાસ્તવમાં, ખોટું હોય છે!

દિવસ આખાનું વ્યવસ્થિત આયોજન હોય
એમની પાસે ઉડાડવા માટેનો ય સમય હોય છે.
સમયને વેડફનારાને જ સમય ખૂટે છે!

( તુષાર શુક્લ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.