શું કરું-માધવ આસ્તિક

શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને ?
ખાલીપો માણી શકું જો મનભરીને.

મૌનની સામે થયો’તો એ પછીથી,
હર્ફ પણ ઉચ્ચારું છું હું થરથરીને.

જો વહેવું આવડે તો પાર દરિયા,
ક્યાં કશે પહોંચી શકાયું છે તરીને!

આંગળી બદલે પહોંચો ચાલશે પણ,
હસ્તરેખામાં જ બેઠા ઘર કરીને?

એક પરપોટાને કાપી નાખવો છે,
એ જ સપનું રોજ આવે છે છરીને.

( માધવ આસ્તિક )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.