ડો. ગોરા ત્રિવેદી

પ્રો. ડૉ. ગોરા એન ત્રિવેદી રાજકોટ-ગુજરાત-ભારતના એક શિક્ષક-કેળવણીકાર, લેખક અને સામાજીક કાર્યકર્તા છે. તેઓ પોતાની ‘રાષ્ટ્રને પ્રાથમિકતા’ ‘નેશન ફર્સ્ટ’ વિચારસરણીથી વિશેષ જાણીતા છે. તેમણે માનવ અધિકાર વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી કરેલ છે અને હાલ કાયદાના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે.

શરૂઆતનું જીવન
ડો. ગોરાનો જન્મ ૨૩ એપ્રિલ ૧૯૭૯ના રોજ ભાવનગર-ગુજરાતમાં થયો હતો (પિતા : શ્રી નવિનચંદ્ર ત્રિવેદી, માતા : મીનાક્ષીબહેન ત્રિવેદી). તેમણે શાળાનું શિક્ષણ શ્રી.જી.ટી.શેઠ વિદ્યાલય-રાજકોટમાંથી, સાયન્સ ગ્રેજ્યુએશન શ્રી એચ.એન.એચ.બી કોટક સાયન્સ કોલેજ-રાજકોટમાંથી, લો ગ્રેજયુએશન શ્રી એ.એમ.પી લો કોલેજ- રાજકોટમાંથી લીધું હતું. ત્યારબાદ હ્યુમન રાઈટ્સ એન્ડ ઇન્ટરનેશનલ હ્યુમેનીટેરીયન લોસ અને પી.એચ.ડી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માંથી કરેલ છે.

કારકિર્દી
તેમણે તેમની કારકિર્દીની શરૂઆત વીઝીટીંગ ફેકલ્ટી તરીકે શ્રી.એ. એમ. પી લો કોલેજથી ૨૦૦૮માં કરી હતી. ત્યારબાદ ફૂલ ટાઇમ લેકચરર તરીકે શ્રી. કે. એ.પાંધી ઈંગ્લીશ લો કોલેજ-૨૦૧૦ અને શ્રી એચ. એન. શુક્લ કોલેજ-૨૦૧૪માં હેડ.ઓફ.ધ ડીપાર્ટમેન્ટ-લોની જવાબદારી સંભાળેલ. હાલ તેઓ ગીતાંજલી લો કોલેજમાં ઇન-ચાર્જ પ્રિન્સીપાલ તરીકેની ફરજ બજાવે છે.

અન્ય નોંધનીય કાર્ય
પી.એચ.ડી સાથે જ તેમણે કાયદાકીય પુસ્તકો પણ લખ્યા જેમ કે;
૧.ઈફેક્ટીવ ઈમ્પલીમેંનટેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઇન ઇન્ડિયા
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૨૬-૪૦૫-૭
૨.ગુડ ગવર્નન્સ – ગ્લોબલ ટુ ગુજરાત [ શ્રી નરેન્દ્રભાઈમોદીને રૂબરૂ અર્પણ કરેલ ]
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૨૬-૫૯૪-૮
૩.રાઈટ ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ એઝ વુવન ઇન ઇન્ડિયન કોન્સ્ટીટ્યુશન
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૩૭-૭૦૭-૮
૪.યુનિવર્સલ એક્સેપટન્સ ઓફ રાઈટ ટુ પ્રાઈવસી એઝ અ હ્યુમન રાઈટ
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૩૭-૭૦૫-૪
૫. ઇન્ટરનેશનલ હ્યુંમેનેટેરીયન લોઝ એન્ડ વોર ક્રાઈમ્સ
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૩૭-૭૦૬-૧

તેઓ જાણીતા બન્યા તેમની સેલ્ફ પબ્લીશડ બુક ‘ધ સીવીક કોડ’ [ઓકટોબર-૨૦૧૫]થી કે જે સીવીક સેન્સ અને દેશભક્તિ પર લખાઈ છે. આ પુસ્તક ગુજરાતીમાં લખાયેલ છે અને વાચકોમાં એટલું લોકપ્રિય થયું છે કે અંગ્રેજી વાચકો સુધી પહોંચી શકે એ માટે એપ્રિલ-૨૦૧૬માં આ પુસ્તકનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો. હાલ આ જ પુસ્તકના હિન્દી અનુવાદનું કામ ચાલી રહ્યું છે.

ડો. ગોરાએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એકેડેમીક સ્ટાફ કોલેજમાં કાયદા અને માનવ અધિકારો વિષય પર રિસોર્સ પર્સન તરીકે વ્યાખ્યાનો આપેલ છે. તેમણે ‘સ્ત્રી સશક્તિકરણ’ પર ઘણાં કાર્યક્રમો અને વ્યાખ્યાન શ્રુંખલાઓ યોજેલ છે.

પુસ્તકો વાંચવા, વંચાવવા અને વહેંચવા એ પણ ડો. ગોરાની પ્રિય પ્રવૃત્તિ છે. તેઓ બુક ટોક પણ કરે છે.

ડો. ગોરા ફ્રી-લાન્સ કોલમિસ્ટ તરીકે પણ કાર્યરત છે અને વિવિધ શાળા, કોલેજ, એન.જી.ઓ., સંસ્થાઓ દ્વારા નિયમિત રીતે વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવે છે.’

ડો. ગોરા તેમના આ કામ સિવાય સામાજીક પ્રવૃતિઓ માટે પણ જાણીતા છે. તેમની સેવાકીય પ્રવૃતિઓમાં જાગૃતિ અભિયાન મુખ્ય છે પણ એક માત્ર નથી. એમના સૌથી વધુ જાણીતા બનેલ કાર્યોમાં ‘નો હોર્ન મુવમેન્ટ’ નો સમાવેશ થાય છે કે જે રાજકોટથી શરુ થઇ અને ગુજરાતના વિવિધ શહેરો સુધી ફેલાયેલ છે. હાલમાં ઓકટોબર ૨૦૧૬માં તેમણે પોતાનો એન.જી.ઓ ‘અમલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ની શરૂઆત કરેલ છે.

માન્યતા
ડો. ગોરાના પુસ્તક ‘ગુડ ગવર્નન્સ: ગ્લોબલ ટુ ગુજરાત’નું શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિમોચન થયેલ. આ ઉપરાંત તેમના પુસ્તક ‘ધ સીવીક કોડ’ની ઈંગ્લીશ આવૃત્તિનું વિમોચન શ્રી સુબ્રમનીયન સ્વામી દ્વારા નવી દિલ્હી ખાતે થયેલ.

પ્રેસ/મીડિયા
તેમના કાર્યોનો ઉલ્લેખ નામાંકિત ગુજરાતી મેગેઝીન ચિત્રલેખા દ્વારા ૨૦૧૫ના વર્ષમાં ૨ વાર થયેલ છે. ગુજરાતના તમામ અગ્રણી સમચારપત્રોએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ અને પુસ્તક ‘ધ સીવીક કોડ’ની નોંધ લીધેલ છે.

એવોર્ડ્સ
તેમને લાયન્સ ક્લબ દ્વારા ‘નારી શક્તિ સન્માન’ એવોર્ડ મળેલ છે.

તેઓ તેમના નિડર,સ્પષ્ટ અને નિખાલસ નિવેદનો અને લખાણ માટે સોસીયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે. તેઓ સોશીયલ મીડિયા પર કરન્ટ અફેર્સ, સીવીક સેન્સ, સોસીયલ ડ્યુટીસ, દેશભક્તિ અને રાજકારણ વિષયો પર લખે છે. વર્ડપ્રેસ પર ‘મારું સત્ય’ નામનો તેમનો બ્લોગ પણ છે.

E-mail ID : goratrivedi@yahoo.co.in
Blog : https://drgoratrivedi.wordpress.com/
https://twitter.com/ProfGora(Twitter)
https://www.linkedin.com/profile/view?id=AAIAABVmx-QBE28ItpoyVDlE2aDczb6otAMtX1A&trk=nav_responsive_(LinkedIn)
https://www.youtube.com/channel/UCbyOjQcJMObWnXDE0X1MY_w(YouTube)

Share this

2 replies on “ડો. ગોરા ત્રિવેદી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.