ન આવે-ગૌરાંગ ઠાકર

માગું છું દુઆ કોઈથી વિખવાદ ન આવે,
સંવાદ વગર કોઈ બીજો સાદ ન આવે.

દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે ?
સંગાથમાં તું હોય ને વરસાદ ન આવે.

એવું જો અહીં થાય તો ચિંતાનો વિષય છે,
બે જણને પ્રણયમાં કદી ફરિયાદ ન આવે.

વરદાન હવે એક મને એવું મળે બસ,
આબાદ કે બરબાદ છું એ યાદ ન આવે.

શાયર લખે તો શું લખે આ જિંદગીની વાત,
ગઝલોમાં સીધો આંસુનો અનુવાદ ન આવે.

ક્યારેય ખરીદી ન શક્યું કોઈ મરીઝાઈ,
નહિતર તો મરીઝ કોઈ બીજો એકાદ ન આવે ?

( ગૌરાંગ ઠાકર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.