અમે પંથ ભૂલ્યાના રાહી બનીશું,
અને દેશ માટે સિપાહી બનીશું.
કરીશું વતનનું જતન પ્રાણ માટે,
અને શત્રુ કાજે તબાહી બનીશું.
કરીશું ન લવલેશ જગમાં કોઈથી,
અમારા જ બળથી પનાહી બનીશું.
નમીશું નહીં શત્રુને કોઈ કાળે,
ન ભૂંસાઈ જાએ એ સ્પાહી બનીશું.
બનીશું અમે નેક ને એક જગમાં,
ફક્ત તારા બંદા ઈલાહી બનીશું.
( દિલખુશ રાજકોટી )