સાત રંગના સરવાળા છે,
એથી સુરજ અજવાળા છે.
આપું ક્યાંથી ગુલમહોર હવે?
અહીં તો પીળા ગરમાળા છે !
કેટલા અહમ પોષવાના છે હવે?
હરકોઈના અહીં અણિયાળા છે.
એમતો થાકી જ જવાનું હતું,
પ્રવાસ આખોય પગપાળા છે.
એ બધુંય કંઇ આપણું હતું નહીં,
હોવાનો ખ્યાલ બસ ભરમાળા છે.
( નિરુપમ નાણાવટી )