પવિત્ર મંગલ શક્તિ,
તમારા સહવાસમાં મને શાંતિ, આનંદશક્તિનું જે વાતાવરણ મળે છે એની મને જરૂર છે.
મારી આસપાસ તમારો દિવ્ય પ્રકાશ છવાઈ ગયો છે એનો મારે અનુભવ કરવો છે. મારે તમારી પાસેથી વહી રહેલા અઢળક પ્રેમના ધોધને માણવો છે.
તમારા સાંનિધ્યમાં હું મારો દરેક વિચાર, માન્યતા, સમજણ, ગ્રહણશક્તિ, જીવનનું દર્શન અને મને મારી એકલતા, મૂંઝવણ, હતાશા, દુ:ખની લાગણી ને જે મદદ કરે એ સર્વ હું તમારા ચરણે ધરું છું.
હું તમારી સંનિધિમાં રાહત, શાંતિ, આનંદ અનુભવું છું- જ્યારે હું એકત્વ અનુભવું છું.
કૃતજ્ઞતાથી સભર હૃદયે હું તમને નમન કરું છું અને આભાર માનું છું.
ઓ મંગલમય શક્તિ તમારો કેટલો અને કેવી રીતે આભાર માનવો !
( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )