હું મારી જતને બદલવા માટે તત્પર છું.
.
હું મારા મનને, મારા હૃદયને, જીવનને અને આસપાસની સમગ્ર સૃષ્ટિનો અભિગમ બદલવા તૈયાર છું. હું શું કરું છું અને કેવી રીતે કરું છું તેમાં પણ બદલાવા તત્પર છું.
.
હું જે કંઈ બદલય છે તે સમજવા માગું છું. જે બદલાયું છે અને બદલય છે તે કેવાં ચમત્કારિક પરિણામો લાવી શકે છે એ સમજવા માટે હું એકદમ આતુર છું.
.
હું કશું જ કરી શકું એમ નથી. તેથી જ હું પવિત્ર શક્તિને –મારા આત્માના સ્તર પર સ્પર્શી મને સાચવે અને બદલે તે માટે જાતને એને-શરણે ધરું છું.અને સમજું છું કે ઈશ્વરે મારું જે સર્જન કર્યું તે હું જ છું.
.
ઈશ્વરની સંપૂર્ણ યોજના પ્રમાણે હું બદલાવા માગું છું. મારા મનને બરાબર વ્યવસ્થિત રીતે ગોઠવી, મારા હૃદયને નવીન તાજગીથી હે પ્રભુ તમે ભરી દો-એમ જ થવા માટે તમારી કૃપા માગું છું.
.
( ઇયાન્લા વાન્ઝાન્ટ, અનુ. આશા દલાલ )