વાર્તા/નવલિકા/પ્રસંગકથા/આર્ષવાણી

પ્રેમ – ઓશો

.

જીવનથી એ જ મળે છે,

જે તમે જીવનને આપો છો,

તમે જે આપો છો, એ જ પામો છો.

તમે પ્રેમ આપો અને ભૂલી જાઓ.

તમે પ્રેમ આપો અને બદલામાં માંગો નહીં,

તમે પ્રેમ આપો અને ધન્યવાદ આપો કે

કોઈએ તમારા પ્રેમનો સ્વીકાર કર્યો ;

ત્યારે તમે ધીરે-ધીરે જોશો

પ્રેમ ઉપર ઊઠવા લાગ્યો

ત્યારે એક નવા જ આયામમાં

તમારી ગતિ થાય છે.

તમારી ચેતના એક નવા લોકમાં

પ્રવેશ કરે છે.

 .

 .

જ્યારે પણ પ્રેમ જાગે છે તો ભય પેદા થાય છે.

કારણ કે જ્યાં પ્રેમ પેદા થાય છે,

ત્યાં અહંકાર વિસર્જિત કરવો પડે છે,

અને ત્યાં જ ભય લાગે છે.

આપણે અહંકારને પકડી રાખીએ છીએ,

ચાહે પ્રેમ મરે તો મરી જાય.

પ્રેમને પકડો, અહંકારને મરી જવા દો.

પ્રેમ સંપદા છે. પ્રેમ સમાધિ છે.

પ્રેમ સર્વસ્વ છે.

પ્રેમની નૌકા જ તમને

પાર લઈ જઈ શકે છે.

 .

( ઓશો )

Share

પ્રેમ – ઓશો

.

પ્રેમથી વધારે સરળ અને સ્વાભાવિક

બીજો કોઈ અનુભવ નથી.

અહંકાર તમે છોડ્યો,

તો પ્રેમ જ સંભવ નથી થતો

પ્રેમની સાથે-સાથે બીજી પણ

અસંભવ વાતો સંભવ થઈ જાય છે.

ધ્યાન સંભવ થઈ જાય છે.

સ્વતંત્રતા સંભવ થઈ જાય છે.

શાશ્વતતા સંભવ થઈ જાય છે.

અમૃત સંભવ થઈ જાય છે.

પ્રેમનું દ્વાર શું ખૂલે છે…

મંદિર ખૂલી જાય છે.

મંદિર, જેના અનંત આયામ છે.

જે મંદિરમાં પ્રવિષ્ટ થયો,

તેણે જ જીવનના અર્થ જાણ્યા,

જીવનની ગરિમાને ઓળખી.

 .

.

પ્રેમ મળી જાય,

તો પરમાત્મા મળી જાય છે.

પ્રેમ વગર પરમાત્મા નથી મળતો.

પ્રેમ સર્વાધિક મૂલ્યવાન છે,

પ્રાર્થના પણ એટલી મૂલ્યવાન નથી.

જેણે પ્રેમ નથી જાણ્યો,

તે પ્રાર્થનાથી પરિચિત જ નહીં થઈ શકે.

પ્રેમ જ શુદ્ધ થઈને પ્રાર્થના બને છે.

પ્રેમ જ નિખરીને પ્રાર્થના બને છે.

પ્રેમ સમજો કે કાચી પ્રાર્થના છે,

પ્રાર્થના પાક્કો પ્રેમ.

.

( ઓશો )

Share

પ્રેમ – ઓશો

.

બુદ્ધિ પાપોથી ભરી હોય,

તો પ્રેમથી જ શુદ્ધ કરી શકાય છે.

જ્યારે એક વ્યક્તિને તમે પ્રેમ કરો છો,

તો તેને દુ:ખ દેવું મુશ્કેલ થઈ જાય છે.

તેનું સુખ તમારું સુખ,

તેનું દુ:ખ તમારું દુ:ખ

તેના જીવન અને તમારી વચ્ચેની

સીમા તૂટી ગઈ.

તમે એક-બીજામાં વહો છો.

જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને

પરમાત્મા વચ્ચે ઘટે છે,

તો તેનું નામ પ્રાર્થના,

આરાધના, પૂજા, ભક્તિ

એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.

 .

.

જો પ્રેમની સંપદા તમારી પાસે હોય,

તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી,

પ્રેમ પોતે જ પર્યાપ્ત છે.

પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે.

જો તમે પ્રેમ કરી શકો,

તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઈ જશો,

તમે ઉત્સવ મનાવી શકશો.

આ અસ્તિત્વ પ્રત્યે

તમે અનુગ્રહિત થઈ જશો.

જો તમે પ્રેમ કરવા સમર્થ છો,

તો પ્રેમ જ આશિષ બની જાય છે.

.

( ઓશો )

Share

ઝંખના – પલ્લવી શાહ

.

ક્યાંથી બંધાઈ જાય છે આ બંધનો ? આજે કાંઈ નથી, ગઈકાલે કાંઈ ન હતું અને અચાનક પળ એવી આવી અને આપણે આ લાગણીના બંધનમાં બંધાઈ ગયાં. પછી એ લાગણીની માયા એવી લાગી જાય છે કે જે ગઈકાલે કાંઈ ન હતું એ આજે, આ પળે સર્વસ્વ થઈ જાય છે. આપણે પણ આવા કોઈ બંધનમાં બંધાઈ ગયાં અને મેં મારું સર્વસ્વ તને સોંપ્યું. મારો ભુતકાળ એક વાર્તા બની ગયો અને વર્તમાન એક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. ખબર નહિ કેમ આનંદ આનંદ ચારે તરફ વ્યાપી ગયો. અંગે અંગમાં વ્યાપી ગયો અને પવનના દરેકે દરેક કણ ઉપર મેં આપણાં નામ લખી નાખ્યાં. હવે આ પવન દરેકના કાનમાં જઈ આપણા નામની ફૂંક મારી આવે છે. દરેકે દરેક જણને ક્ષિતિજ ઉપર આપણા નામની રંગોળીઓ પૂરે છે. તને ગમે છે ને ?

.

.

જ્યારે જ્યારે હું તને મારા શબ્દો વડે શણગારવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારી પાસે શબ્દભંડોળ ખૂટી જાય છે.

.

જ્યારે જ્યારે હું તને મારા વિચારો દ્વારા શણગારવાનો પ્રયત્ન કરું છું ત્યારે હું વિચારો કરતાં કરતાં સૂઈ જાઉં છું.

 .

જ્યારે જ્યારે હું તારી સમક્ષ મારાં ગીતો ગાઉં છું ત્યારે ત્યારે હું અપલક તને નિરખ્યા કરું છું અને મારું ગાન ભૂલી તારામાં તન્મય થઈ જાઉં છું.

 .

હું વિચારું છૂં, કોણ છે તું ? જે મને મારું બધું ભુલાવી દે છે, હું જાગું છું, હું ઉઠું છું, ચાલુ છું બસ જ્યાં જાઉં ત્યાં તને જ ઝંખુ છું. શા માટે ? શા માટે ? શા માટે ?

.

.

મને વાંસળી વગાડતાં આવડતી નથી, નહિંતર મારી વાંસળીના સૂર ફેલાવી, હવામાં રેલાવી તને સંદેશો પહોંચાડત કે હું તારી રાહ જોઉં છું. મેં કાગળ તો લખ્યો છે, પણ મારી પાસે એવો કોઈ ટપાલી નથી કે જે મારો પત્ર તારા સુધી પહોંચાડે. કે નથી તારું સરનામું મારી પાસે. નહિતર હું જાતે આવીને મળી જાઉં. મારા અંતરની લાગણીઓ હવે મારા કાબૂમાં નથી અને તારી પાછળ ઘેલું થયેલું મારું હૃદય મારાથી કેમેય કરીને સચવાતું નથી. દરરોજ રાત્રીના જ્યારે બધાં જ સૂઈ જાય ત્યારે હું શણગારો સજીને તારા આવવાની રાહ જોઈને જાગરણ કરું છું અને પરોઢિયે મારી નિરાશ આંખો તડપતા હૃદય અને અતૃપ્ત ઝંખનાને લઈને હું પોઢી જાઉં છું. મારી આ અતૃપ્ત ઝંખનાને તું ક્યારે પૂર્ણ કરીશ ?

.

.

હું તો તારા રંગે રંગાયેલી છું બીજો કોઈ રંગ મને ગમતો નથી. દર્પણમાં જોઉં છું તો મને મારી બદલે તારું પ્રતિબિંબ દેખાય છે અને આંખો બંધ કરું તો પણ તું જ મારી ઉપર, નીચે અઅજુબાજુ બસ ચારે બાજુ ફક્ત તું જ છે. તું એક એવો તેજપૂંજ છે કે જે મારા અંગેઅંગમાં પ્રવેશી ગયો છે. તને મેળવવા મારા અણુંએ અણું ઝંખે છે. મારું હૃદય, તન મન ફક્ત તને જ ઝંખે છે. શું તું પણ મને ઝંખે છે ?

.

( પલ્લવી શાહ )

Share
Powered By Indic IME