Category Archives: સર્જક પરિચય

અનંત રાઠોડ

શ્રી અનંત રાઠોડનો જન્મ ૧૨ ડીસેમ્બર ૧૯૯૩ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં થયો હતો. માતા: હંસાબહેન, પિતા: શૈલેષભાઈ. તેઓ બે વર્ષની ઉંમરના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું. મૂળ વતન ઈડર તાલુકાનું ભૂતિયા ગામ. ધોરણ ૧ અને ૨ સુધીનું શિક્ષણ ભૂતિયા ગામની પ્રાથમિક શાળામાંથી લીધું. ત્યારબાદ હિંમતનગરની શ્રી હિંમત હાઈસ્કૂલમાં દાખલ થયા અને ૨૦૧૧માં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પાસ કર્યું. ત્યાર બાદ ૨૦૧૧માં તલોદ (સાબરકાંઠા)ની શ્રીમતી એસ. એમ. પંચાલ સાયન્સ કોલેજમાં બી.એસ.સીના અભ્યાસ માટે જોડાયા. ૨૦૧૨માં અમદાવાદની એમ. જી. સાયન્સ ઈન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવી ૨૦૧૫માં બી.એસ.સી (રસાયણ શાસ્ત્ર)ની ડીગ્રી મેળવી. ૨૦૧૫માં સેંટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં સંસ્કૃતના અભ્યાસ માટે જોડાયા પણ કેટલાક કારણોસર અભ્યાસ અધૂરો છોડ્યો.

ધોરણ ૭માં નવલકથા અને કવિતાના પુસ્તકો વાંચવાની શરૂઆત કરી. પહેલી કવિતા ધોરણ ૭માં લખી. ધોરણ ૧૦માં પ્રથમ છંદોબદ્ધ ગઝલ લખી. તેમનું પ્રથમ કાવ્ય “જનસત્તા દૈનિક”માં પ્રગટ થયું હતું. તેમના સર્જનાત્મક વ્યક્તિત્વના ઘડતરમા હિંમતનગરના સરકારી જિલ્લા પુસ્તકાલયનો અગત્યનો ફાળો રહ્યો. કોલેજમાં આવ્યા બાદ તેમની ગઝલો અન્ય ગુજરાતી સામાયિકો ગઝલવિશ્વ, ધબક, કવિલોક, કુમાર, શબ્દસૃષ્ટી, પરબ, પરિવેશ તાદર્થ્ય, છાલક, કવિતા, કવિતાચયન-૨૦૧૩ વગેરેમાં સ્થાન પામી. ૨૦૧૩માં યોગેન્દુ જોશી સંપાદિત પુસ્તક “લઈને અગિયારમી દિશા”માં તેમની ગઝલો પ્રકાશિત થઈ. ૨૦૧૬માં મોરારીબાપુની રામકથા અંતર્ગત અબુધાબી (યુ.એ.ઈ.) કાવ્યપાઠ માટે જવાનો મોકો મળ્યો. આકાશવાણી અને દૂરદર્શનમાં તેમણે ઘણી વખત કાવ્યપાઠ કર્યો છે.

તેમના ઘડતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતેની બુધસભાનો ફાળો વિશેષ છે, જ્યાં તેઓ ૨૦૧૨માં જોડાયા. સૈદ્ધાંતિક વિવેચનનું વાંચન અને પૂર્વ-પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ તેમની રસની પ્રવૃત્તિઓ છે.

E-Mail ID: gazal_world@yahoo.com

ડો. ગોરા ત્રિવેદી

પ્રો. ડૉ. ગોરા એન ત્રિવેદી રાજકોટ-ગુજરાત-ભારતના એક શિક્ષક-કેળવણીકાર, લેખક અને સામાજીક કાર્યકર્તા છે. તેઓ પોતાની ‘રાષ્ટ્રને પ્રાથમિકતા’ ‘નેશન ફર્સ્ટ’ વિચારસરણીથી વિશેષ જાણીતા છે. તેમણે માનવ અધિકાર વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી કરેલ છે અને હાલ કાયદાના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે.

શરૂઆતનું જીવન
ડો. ગોરાનો જન્મ ૨૩ એપ્રિલ ૧૯૭૯ના રોજ ભાવનગર-ગુજરાતમાં થયો હતો (પિતા : શ્રી નવિનચંદ્ર ત્રિવેદી, માતા : મીનાક્ષીબહેન ત્રિવેદી). તેમણે શાળાનું શિક્ષણ શ્રી.જી.ટી.શેઠ વિદ્યાલય-રાજકોટમાંથી, સાયન્સ ગ્રેજ્યુએશન શ્રી એચ.એન.એચ.બી કોટક સાયન્સ કોલેજ-રાજકોટમાંથી, લો ગ્રેજયુએશન શ્રી એ.એમ.પી લો કોલેજ- રાજકોટમાંથી લીધું હતું. ત્યારબાદ હ્યુમન રાઈટ્સ એન્ડ ઇન્ટરનેશનલ હ્યુમેનીટેરીયન લોસ અને પી.એચ.ડી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માંથી કરેલ છે.

કારકિર્દી
તેમણે તેમની કારકિર્દીની શરૂઆત વીઝીટીંગ ફેકલ્ટી તરીકે શ્રી.એ. એમ. પી લો કોલેજથી ૨૦૦૮માં કરી હતી. ત્યારબાદ ફૂલ ટાઇમ લેકચરર તરીકે શ્રી. કે. એ.પાંધી ઈંગ્લીશ લો કોલેજ-૨૦૧૦ અને શ્રી એચ. એન. શુક્લ કોલેજ-૨૦૧૪માં હેડ.ઓફ.ધ ડીપાર્ટમેન્ટ-લોની જવાબદારી સંભાળેલ. હાલ તેઓ ગીતાંજલી લો કોલેજમાં ઇન-ચાર્જ પ્રિન્સીપાલ તરીકેની ફરજ બજાવે છે.

અન્ય નોંધનીય કાર્ય
પી.એચ.ડી સાથે જ તેમણે કાયદાકીય પુસ્તકો પણ લખ્યા જેમ કે;
૧.ઈફેક્ટીવ ઈમ્પલીમેંનટેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઇન ઇન્ડિયા
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૨૬-૪૦૫-૭
૨.ગુડ ગવર્નન્સ – ગ્લોબલ ટુ ગુજરાત [ શ્રી નરેન્દ્રભાઈમોદીને રૂબરૂ અર્પણ કરેલ ]
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૨૬-૫૯૪-૮
૩.રાઈટ ઓફ હેલ્ધી એન્વાયરમેન્ટ એઝ વુવન ઇન ઇન્ડિયન કોન્સ્ટીટ્યુશન
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૩૭-૭૦૭-૮
૪.યુનિવર્સલ એક્સેપટન્સ ઓફ રાઈટ ટુ પ્રાઈવસી એઝ અ હ્યુમન રાઈટ
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૩૭-૭૦૫-૪
૫. ઇન્ટરનેશનલ હ્યુંમેનેટેરીયન લોઝ એન્ડ વોર ક્રાઈમ્સ
આઈ.એસ.બી.એન – ૯૭૮-૯૩-૫૧૩૭-૭૦૬-૧

તેઓ જાણીતા બન્યા તેમની સેલ્ફ પબ્લીશડ બુક ‘ધ સીવીક કોડ’ [ઓકટોબર-૨૦૧૫]થી કે જે સીવીક સેન્સ અને દેશભક્તિ પર લખાઈ છે. આ પુસ્તક ગુજરાતીમાં લખાયેલ છે અને વાચકોમાં એટલું લોકપ્રિય થયું છે કે અંગ્રેજી વાચકો સુધી પહોંચી શકે એ માટે એપ્રિલ-૨૦૧૬માં આ પુસ્તકનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો. હાલ આ જ પુસ્તકના હિન્દી અનુવાદનું કામ ચાલી રહ્યું છે.

ડો. ગોરાએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એકેડેમીક સ્ટાફ કોલેજમાં કાયદા અને માનવ અધિકારો વિષય પર રિસોર્સ પર્સન તરીકે વ્યાખ્યાનો આપેલ છે. તેમણે ‘સ્ત્રી સશક્તિકરણ’ પર ઘણાં કાર્યક્રમો અને વ્યાખ્યાન શ્રુંખલાઓ યોજેલ છે.

પુસ્તકો વાંચવા, વંચાવવા અને વહેંચવા એ પણ ડો. ગોરાની પ્રિય પ્રવૃત્તિ છે. તેઓ બુક ટોક પણ કરે છે.

ડો. ગોરા ફ્રી-લાન્સ કોલમિસ્ટ તરીકે પણ કાર્યરત છે અને વિવિધ શાળા, કોલેજ, એન.જી.ઓ., સંસ્થાઓ દ્વારા નિયમિત રીતે વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવે છે.’

ડો. ગોરા તેમના આ કામ સિવાય સામાજીક પ્રવૃતિઓ માટે પણ જાણીતા છે. તેમની સેવાકીય પ્રવૃતિઓમાં જાગૃતિ અભિયાન મુખ્ય છે પણ એક માત્ર નથી. એમના સૌથી વધુ જાણીતા બનેલ કાર્યોમાં ‘નો હોર્ન મુવમેન્ટ’ નો સમાવેશ થાય છે કે જે રાજકોટથી શરુ થઇ અને ગુજરાતના વિવિધ શહેરો સુધી ફેલાયેલ છે. હાલમાં ઓકટોબર ૨૦૧૬માં તેમણે પોતાનો એન.જી.ઓ ‘અમલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ની શરૂઆત કરેલ છે.

માન્યતા
ડો. ગોરાના પુસ્તક ‘ગુડ ગવર્નન્સ: ગ્લોબલ ટુ ગુજરાત’નું શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિમોચન થયેલ. આ ઉપરાંત તેમના પુસ્તક ‘ધ સીવીક કોડ’ની ઈંગ્લીશ આવૃત્તિનું વિમોચન શ્રી સુબ્રમનીયન સ્વામી દ્વારા નવી દિલ્હી ખાતે થયેલ.

પ્રેસ/મીડિયા
તેમના કાર્યોનો ઉલ્લેખ નામાંકિત ગુજરાતી મેગેઝીન ચિત્રલેખા દ્વારા ૨૦૧૫ના વર્ષમાં ૨ વાર થયેલ છે. ગુજરાતના તમામ અગ્રણી સમચારપત્રોએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ અને પુસ્તક ‘ધ સીવીક કોડ’ની નોંધ લીધેલ છે.

એવોર્ડ્સ
તેમને લાયન્સ ક્લબ દ્વારા ‘નારી શક્તિ સન્માન’ એવોર્ડ મળેલ છે.

તેઓ તેમના નિડર,સ્પષ્ટ અને નિખાલસ નિવેદનો અને લખાણ માટે સોસીયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે. તેઓ સોશીયલ મીડિયા પર કરન્ટ અફેર્સ, સીવીક સેન્સ, સોસીયલ ડ્યુટીસ, દેશભક્તિ અને રાજકારણ વિષયો પર લખે છે. વર્ડપ્રેસ પર ‘મારું સત્ય’ નામનો તેમનો બ્લોગ પણ છે.

E-mail ID : goratrivedi@yahoo.co.in
Blog : https://drgoratrivedi.wordpress.com/
https://twitter.com/ProfGora(Twitter)
https://www.linkedin.com/profile/view?id=AAIAABVmx-QBE28ItpoyVDlE2aDczb6otAMtX1A&trk=nav_responsive_(LinkedIn)
https://www.youtube.com/channel/UCbyOjQcJMObWnXDE0X1MY_w(YouTube)

ભાવિન ગોપાણી

Bhavin Gopani

બાંધણીનાં વેપારી અને અમદાવાદના રહેવાસી એવા ગઝલકાર ભાવિન ગોપાણીનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૭૬ના રોજ અમદાવાદમા થયો હતો. ( પિતા: બિપિનચંદ્ર ગોપાણી, માતા: જ્યોત્સના ગોપાણી). તેમણે શાળાનું શિક્ષણ અમદાવાદ ખાતે પ્રકાશ બાલમંદિર (ધોરણ ૧ થી ૪; ૧૯૮૧થી ૧૯૮૫); દુર્ગા વિદ્યાલય (ધોરણ ૫ થી ૧૦; ૧૯૮૫ થી ૧૬૯૧) અને સરદાર પટેલ હાઇસ્કુલ (ધોરણ ૧૧ અને ૧૨; ૧૯૯૧ થી ૧૯૯૩)માંથી લીધું. ૧૯૯૬માં તેમણે સહજાનંદ કોલેજ (અમદાવાદ)થી બી.કોમ ની ડિગ્રી મેળવી. ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ તેઓ કૈલાસ ગોપાણી સાથે લગ્નગ્રંથીથી જોડાયા.

તેમણે ગઝલસર્જનનો પ્રારંભ ૨૦૧૧થી કર્યો. ૨૦૧૩માં ‘કવિતા’ દ્રિમાસિકમાં સૌપ્રથમ વાર તેમની ગઝલ પ્રગટ થઇ. ત્યારથી લઇ આજ સુધી તેમની ગઝલો પરબ, કવિલોક, ગઝલવિશ્વ અને ધબક જેવા સામાયિકોમાં નિયમીત પ્રગટ થતી આવી છે. ટૂંક સમયમા જ તેમના ‘ઉંબરો’ અને ‘ઓરડો’ નામનાં બે ગઝલસંગ્રહો પ્રકાશિત થનાર છે.

Mob : +91 9825698628
E-mail ID: bhavingopani@yahoo.com

પરાજિત ડાભી

IMG-20160501-WA0009

31 ઑગસ્ટ 1954ના રોજ ભાવનગરમાં જન્મેલા પરાજિત ડાભીનું મૂળ નામ પ્રેમજીભાઇ કરમશીભાઇ ડાભી છે. તેઓ તમન્ના આઝમી નામના ઉપનામથી પણ સર્જન કરે છે. તેઓ વૅસ્ટર્ન રેલ્વેના નિવૃત્ત કર્મચારી છે. તેમની પાસેથી ‘પગરવ તમારો ઓળખું છું’ (2014) નામે ગઝલસંગ્રહ અને ‘ફરી હું મળું ના મળું’ (2015) નામે કાવ્યસંગ્રહ ગુજરાતી સાહિત્યને મળેલ છે. તેમણે ગીત સ્વરૂપમાં પણ પ્રદાન કરેલ છે. તેમના ગઝલકાર તરીકેના ઘડતરમાં ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’ અને ‘બુધસભા ભાવનગર’નો ફાળો મહત્વનો છે. તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી બી.એ ની ડિગ્રી મેળવેલ છે. ધોરણ-7 માં તેમની કવિતા (બાળકાવ્ય) સૌ પ્રથમ વાર ‘ફૂલવાડી’માં પ્રકાશિત થયેલી. ત્યારબાદ તેમના કાવ્યો વિવિધ ગુજરાતી સામાયિકોમાં, જેવા કે શબ્દસૃષ્ટિ, કવિલોક, કુમાર, ગઝલવિશ્વ, પરબ, બુદ્ધિપ્રકાશ, કવિતા, છાલક, શબ્દસર, નવનીત સમર્પણ અને ધબકમાં છપાતા આવ્યા છે.

મોબાઈલ નંબર – 9824511876
ઈમેલ એડ્રેસ – parajeet.dabhi@gmail.com

સૌમ્ય જોશી

SJ

કવિતા ઉપરાંત નાટકના લેખન, દિગ્દર્શન અને અભિનયક્ષેત્રે અજવાળું પાથરનાર સૌમ્ય જોશી માત્ર ગુજરાતમાં જ નહિ, ભારતભરમાં જાણીતા છે. તેમને કવિતા માટે 1996ના વર્ષનું બળવંતરાય ઠાકોર પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘ગ્રીન રૂમમાં’ (2008) અત્યંત લોકપ્રિય થયો છે. ‘દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ એ નાટકે સૌમ્ય જોશીને ભારતના મહત્વના નાટ્યકારોમાં સ્થાન અપાવ્યું. સૌમ્ય જોશીનો જન્મ 3 જુલાઈ 1973ના રોજ અમદાવાદમાં થયો હતો. (પિતા: જયંત જોશી, માતા: નીલા જોશી). તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ વિજયનગર હાઈસ્કૂલ, અમદાવાદ ખાતેથી પૂર્ણ કર્યો. ધો. 10 અને ધો. 12નો અભ્યાસ વિદ્યાનગર હાઈસ્કુલ, અમદાવાદ ખાતેથી 1990માં પૂર્ણ કર્યો. 1993માં તેમણે અમદાવાદની હ. કા આર્ટસ્ કોલેજમાંથી બી.એ (અંગ્રેજી સાહિત્ય)ની ડિગ્રી મેળવી. ત્યારબાદ, સ્કુલ ઑવ લેંગ્વેજ, ગુજરાત યુનિવર્સિટિમાંથી તેમણે એમ.એની ડિગ્રી 1995મા મેળવી. અને તે જ વર્ષે તેઓ હ. કા આર્ટસ્ કૉલેજમા અંગ્રેજીના પ્યાધ્યાપક તરીકે જોડાયા. 2010માં તેમણે પ્રાધ્યાપક તરીકેની નોકરીનો ત્યાગ કર્યો અને નાટ્યક્ષેત્રે વ્યસ્ત.

4 વર્ષની ઉંમરે તેમણે જીવનની પહેલી કવિતા લખેલી પરંતુ કવિતાને સમજીને ગંભીરતાથી કાવ્યલેખનનો પ્રારંભ 1991માં કર્યો. તેમની પહેલી કવિતા ગુજરાતી કવિતાના રુતુપત્ર ‘કવિલોક’માં છપાઈ અને ત્યારબાદ અન્ય ગુજરાતી સામાયિકોમાં સ્થાન પામી. તેમનુ પહેલુ નાટક ‘રમી લો ને યાર’ હતુ અને ત્યારબાદ અનેક પ્રખ્યાત નાટકો જેવા કે ‘વેલકમ જિંદગી’ અને ‘102 નૉટ આઉટ’ ગુજરાતી નાટ્યજગતને આપ્યા છે. કવિતા માટે તેમણે બ.ક ઠાકોર પારિતોષિક (1996), રાવજી પટેલ એવોર્ડ (ગુજરાત સમાચાર અને સમન્વય દ્વારા) અને ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ એવોર્ડ (2007) પ્રાપ્ત થયેલ છે. નાટક માટે તેમને ચંદ્રવદન મહેતા એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

હરદ્વાર ગોસ્વામી

Hardwar Goswami

ગઝલકાર હરદ્વાર ગોસ્વામીનો જન્મ નરસિંહ મહેતાની ભૂમી તળાજામાં 18 જુલાઈ 1976 ના રોજ થયો હતો. (પિતા: મનરૂપગીરી ગોસ્વામી, માતા: ચારુલતાબેન ગોસ્વામી). તેમણે પ્રાથમિક શિક્ષણ તળાજા પ્રાથમિક શાળામાંથી 1992માં પૂર્ણ કર્યું. ધોરણ 10 અને 12નો અભ્યાસ એમ. જે દોશી હાઈસ્કૂલ, તળાજામાંથી 1995માં પૂર્ણ કર્યો. 1998માં તેમણે શામળદાસ આર્ટસ્ કૉલેજ, ભાવનગર ખાતેથી B.A ની ડિગ્રી જ્યારે 2000માં ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટીમાંથી M.A ની ડિગ્રી મેળવી. ત્યારબાદ 2002માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતેથી M. Phil ની ડિગ્રી મેળવી. (સંશોધન ગ્રંથ: ત્રણ ગઝલકારો-એક અધ્યયન). 2000ની સાલથી તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગુજરાતીના વિઝિટીંગ લૅક્ચરર તરીકે જોડાયા. એ પછી એમ.પી આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજ (અમદાવાદ) અને એસ. એલ. યુ કૉલેજ (અમદાવાદ)માં લેક્ચરર તરીકે સેવાઓ આપી. 2013થી તેઓ ફુલ-ટાઈમ કવિ, સંચાલક, ગીતકાર અને નાટ્યકાર તરીકે વ્યસ્ત છે. તેમણે કાવ્યસર્જનનો પ્રારંભ તેમના શાળાજીવન દરમિયાન કર્યો હતો. ધોરણ-11માં તેમની કવિતા ગુજરાતી કવિતાના રુતુપત્ર ‘કવિલોક’માં પ્રકાશિત થયેલી. ત્યારબાદ તેમની કવિતાઓ અન્ય ગુજરાતી સામાયિકોમાં સ્થાન પામી. 2007માં તેમની ગઝલો ‘વીસ પંચા’ નામના સંપાદનમાં (અન્ય ચાર યુવા કવિઓ અનિલ ચાવડા, અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ અને ચંદ્રેશ મકવાણા સાથે) સ્થાન પામી. 2005માં તેમનો ગઝલસંગ્રહ ‘હવાને કિનારે’ પ્રકાશિત થયો. ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્ધારા દર વર્ષે એક યુવા સાહિત્યકારને અપાતો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ 2009ના વર્ષ માટે તેમને પ્રાપ્ત થયેલ છે. તેમણે નાટકો ‘ડો. અયન કાચવાલા’ ને 1995ંનુ જ્યારે ‘નાટકનું નાટક’ ને 1996ંનુ બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. ડૉ. ધીરુ પરીખ હરદ્વાર ગોસ્વામીની કવિતા વિશે કવિલોક મે-જૂન (2015) માં નોંધે છે: “હરદ્વારના સર્જનની અતિ મહત્વની વાત એ છે કે અતિ હ્રદયસ્પર્શી સંવેદન તેઓ ખુબ જ ઓછા શબ્દોમાં અસરકારક રીતે મુકી આપે છે. આમ કરવા જતાં તેઓ કવિતાતત્વને હાનિ ન પહોંચે તેની ખાસ કાળજી રાખે છે”.

E-mail : hardwargoswami@gmail.com

એષા દાદાવાળા

Esha Dadawala

સુરતના વતની એવા કવયિત્રી એષા દાદાવાળાનો જન્મ 2 જાન્યુઆરી 1985 ના રોજ સુરતમાં થયો હતો. (પિતા: મયંક દાદાવાળા, માતા: હેતલ દાદાવાળા) તેમણે શાળાનું શિક્ષણ જીવનભારતી સ્કુલ, સુરત ખાતેથી 2002માં પૂર્ણ કર્યું. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાંથી 2005માં B.A ની ડિગ્રી મેળવી. તેમણે પોતાની પહેલી કવિતા ‘ડેથ સર્ટિફિકેટ’ ધોરણ ૧૧ (2001) માં લખેલી અને તે સુરેશ દલાલે ‘કવિતા’ (2012)માં પ્રકાશિત કરી હતી. હાલ તેઓ દિવ્યભાસ્કર ન્યુઝપેપરમાં 2012થી Dy. News Editor (સીટી ભાસ્કર) તરીકે કાર્યરત છે. આ પહેલા તેમણે ન્યુઝ રિડર, રિપોર્ટર, જર્નાલિસ્ટ અને સબ-ઍડિટર તરીકે ગુજરાત મિત્ર, MY TV, Dhabakar, સંદેશ ન્યુઝપેપર, MY FM અને ગુજરાત ગાર્ડિયનમાં સેવાઓ આપી છે. ‘વરતારો’ (2008) અને ‘જન્મારો’ (2014) તેમના કાવ્યસંગ્રહો છે જ્યારે ‘ક્યા ગઇ એ છોકરી’ (2011) ડાયરી સ્વરૂપની તેમની નવલકથા છે. સ્ત્રીજીવનના વિવિધ તબક્કાઓ, સ્ત્રીહ્રદયના વિવિધ સંવેદનો અને પીડાઓનુ આલેખન તેમના કાવ્યોનો વિશેષ છે.

તેમના લેખો ‘મૈત્રીનો સૂર્ય’, ‘મારી બા ની ઈચ્છા’, ‘ઘર એટલે ઘર’ અને ‘મારું બાળપણ’ સુરેશ દલાલના સંપાદનોમાં સ્થાન પામેલ છે. તેમની ટૂંકીવાર્તાઓ ‘ચિત્રલેખા’ અને અન્ય ગુજરાતી સામાયિકોમાં પ્રગટ થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા અપાતો યુવા ગૌરવ પુરસ્કાર (2013) મેળવનાર તે પ્રથમ મહિલા છે. આ સિવાય પણ તેમને વિવિધ ઍવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

* કવિ ગની દહિવાલા પુરસ્કાર -2000
* ગુજરાત સમાચાર અને સમન્વય દ્વારા અપાતો ‘કવિ રાવજી પટેલ ઍવોર્ડ’
* કાવ્યસંગ્રહ ‘જન્મારો’ ને ગુજરાત સાહિત્ય અકાદમીનુ શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ પારિતોષીક
* Best Poet Award – 2004 (Coffee Mates, Mumbai દ્વારા)
* Best Poet Award – 2005 (કલાગુર્જરી સંસ્થા મુંબઇ દ્વારા)

E-mail Id: edadawala@gmail.com

ચિન્મય શાસ્ત્રી

1235025_634812679897042_1793002434_n

અમદાવાદના રહેવાસી યુવા કવિ ચિન્મય શાસ્ત્રીનો જન્મ 24 મે 1995ના રોજ બોરીવલી, મુંબઇમાં થયો હતો. (પિતા: તીલક શાસ્ત્રી, માતા: રીટા શાસ્ત્રી). તેમણે ધોરણ- 12 (Commerce) સુધીનો અભ્યાસ અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાંથી 2012માં પુરો કર્યો. ત્યારબાદ 2015માં એન.આર ઈન્સ્ટિટ્યુટ ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (GLS) અમદાવાદમાંથી B.B.A ની ડિગ્રી મેળવી. હાલ તેઓ આઇ.સી.એફ.એ.આઇ બિઝનેસ સ્કૂલ (IBS) મુંબઇ ખાતે M.B.Aનો અભ્યાસ કરી રહ્યા છે. 2011માં અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિસદમાં આયોજિત ‘ગઝલ લેખન શીબિર’ માં તેમણે ગઝલના બંધારણ વિશેની તાલીમ મેળવી અને 2012માં એમના કાકા કુમાર જૈમિનિ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ગઝલસર્જન આરંભ્યુ. અમદાવાદની બુધસભા અને બુધસભાના મિત્રોના સાંનિધ્યએ પણ તેમના સર્જનમાં અગત્યનો ભાગ ભજવેલ છે. 2013માં તેમની ગઝલ પ્રથમ વખત ગુજરાતી કવિતાનાં રુતુપત્ર ‘કવિલોક’ માં સ્થાન પામી. ત્યારબાદ તેમની રચનાઓ અન્ય સામાયિકો જેવા કે કવિતા, ગઝલવિશ્વ, શબ્દાલય,ધબક અને તમન્નામાં સ્થાન પામી.

મો. 7738962819
E-mail ID: chinmay455470@yahoo.com

કુલદીપ કારિયા

Kuldeep Karia

કવિ કુલદીપ કારિયાનો જન્મ રાજકોટના પડધરીમાં ૨૪ જૂલાઈ ૧૯૮૭ ના રોજ થયો હતો. (પિતા: રાજેન્દ્રભાઈ કારિયા, માતા: લતાબેન કારિયા). ૨૦૦૫માં કલ્યાણ હાઈસ્કૂલ (રાજકોટ) માંથી ધોરણ-૧૨ (કોમર્સ)) નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ૨૦૦૮માં રાજકોટની જે. જે કુંડલીયા આર્ટસ્ ઍન્ડ કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ થયા. ૨૦૦૯માં તેમણે અમદાવાદની ભવન્સ કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કૉમ્યુનિકેશ ખાતેથી જર્નાલિઝમમાં પૉસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે દિવ્યભાસ્કર દૈનિકમાં સબ-ઍડિટર તરીકે (૨૦૦૯ થી ૨૦૧૧), મીડ-ડેમાં સિનિયર સબ-ઍડિટર તરીકે (૨૦૧૧ થી ૨૦૧૨), ગુજરાત સમાચારમાં સબ-ઍડિટર તરીકે (૨૦૧૨ થી ૨૦૧૩) કામ કરેલ છે. વચ્ચે તેમણે અભિયાન મૅગેઝિનમાં રિપોર્ટર તરીકે (એપ્રિલ ૨૦૧૩ થી જુન ૨૦૧૩) પણ સેવાઓ આપી છે. હાલમાં તેઓ રાજકોટ ખાતે ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કાર્યરત છે. કવિ કુલદીપ કારિયાએ સાહિત્ય સર્જનનો પ્રારંભ માત્ર તેર વર્ષની ઉંમરે કર્યો હતો. ૨૦૧૩માં તેમની ગઝલ (ઝાટક્યો પલંગ ત્યાં તરત બ્હાર નીકળ્યા, ઓશીકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા) પહેલી વાર ગુજરાતના પ્રશિષ્ટ સામાયિક ‘નવનિત સમર્પણ’ માં પ્રકાશિત થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી તેમની રચનાઓ નિયમિતપણે ગુજરાતના શિષ્ટમાન્ય સામાયિકો શબ્દસૃષ્ટી, ગઝલવિશ્વ, કવિલોક, કવિતા વગેરેમાં પ્રકાશિત થતી આવી છે. તેમણે કવિતાના ગીત, ગઝલ અને અછાંદસ જેવા કાવ્યપ્રકારોમાં કામ કર્યુ છે. નવેમ્બર ૨૦૧૫માં તેમણે સાહિત્ય અકાદમી દિલ્હી ખાતે ‘યંગ રાઈટર ફેસ્ટિવલ’માં ગુજરાતી ભાષાના પ્રતિનિધી તરીકે કાવ્યપાઠ કરેલ છે.

મો. નં. 9409404796
E-Mail ID: kuldeepkaria@gmail.com

મિલિન્દ ગઢવી

12914875_10207468043793994_1602916511_o

જૂનાગઢના વતની એવા કવિ, સંચાલક મિલિન્દ ગઢવીનો જન્મ 1 મે 1985 ના રોજ મેંદરડા (જૂનાગઢ)નાં દેત્રાણા ગામમાં થયો હતોં. (પિતા: ડોં ભરત ગઢવી, માતા: ચંદનબહેન ગઢવી). તેમણે શાળાકિય શિક્ષણ રૂપાયતણ (અમરેલી), Good Samaritan English Medium High School (અમરેલી), ગુરુકુળ (સાવરકુંડલા), Carmel Convent High School (જુનાગઢ), Saint Xevier’s High School (જામનગર), Saint Mary’s School (પોરબંદર), સ્વામી વિવેકાનંદ વિનય મંદિર (જૂનાગઢ) ખાતે લીધુ. 2009 માં તેઓ સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.Com થયા અને ત્યારબાદ 2011 માં મહારાજા સયાજિરાવ યુનિવર્સિટી, વડોદરા માંથી તેમણે M.B.A ની ઉપાધી મેળવી. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, જુનાગઢ ખાતે આસિસ્ટન્ટ મૅનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે પહેલી કવિતા ધોરણ 6 માં 11 વર્ષની ઉંમરે લખેલી. જ્યારે પહેલી ગઝલ ધોરણ 8 માં હતાં ત્યારે લખેલી. ધોરણ 12 માં આવ્યા પછીથી તેઓ છંદ શીખ્યા અને છંદમા લખવાની શરૂઆત કરી. તેમણે કવિતાના વિવિધ સ્વરૂપો જેવા કે ગઝલ, નઝમ, ગીત, ત્રીપદી, મુક્તક સૉનેટ, અછાદસ, અંજની, ટ્રાયૅલેટ વગેરેમાં કામ કર્યું છે.
Mobile No : 098988 66686, 095865 99699

E-mail Address : milind.gadhavi@gmail.com

Website : http://kavigami.blogspot.com
Bye - Bye

Facebook ID : http://facebook.com/milind.gadhavi