Tag Archives: મનીષ પરમાર

મને

લીલુંછમ કોણે બતાવ્યું રણ મને ?

ઝાંઝવાથી થૈ ગયું સગપણ મને.

.

રૂપનું મેં પત્રમાં વર્ણન કર્યું,

પણ રિસાવાનું કહો કારણ મને.

.

પાછલા હું બારણેથી નીકળું-

તે છતાંયે દેખતું દર્પણ મને.

.

કેટલાં વરસો પછી આવું ઘરે,

ઓળખે છે ઊડતી રજકણ મને.

.

ક્યાંક તો ઘરમાં સમય ઊભો હશે,

છૂટીને એમાંથી વાગી ક્ષણ મને.

.

( મનીષ પરમાર )