Tag Archives: શાંતિનિકેતન ચિત્રકથા

શાંતિનિકેતન (ચિત્રકથા-૭)

શાંતિનિકેતન પરિસરમાં મારી નજરમાં આવેલા કેટલાક શિલ્પો અને ચિત્રો

.

સંથાલ પરિવાર - શિલ્પકાર : રામકિંકર બૈજ

.

સંથાલ પરિવાર - શિલ્પકાર : રામકિંકર બૈજ

.

.

.

.

.

.

ભગવાન બુદ્ધ

.

દાંડી કૂચ માટે નીકળેલા મહાત્મા ગાંધી

.

.

.

.

.

.

.

.

સમાપ્ત

શાંતિનિકેતન (ચિત્રકથા-૬)

નાટ્યઘર

.

નાટ્યઘર

નન્દનની સામે તથા રવીન્દ્રભવનની પશ્ચિમ દિશામાં એક મોટો હોલ છે એનું નામ છે ‘નાટ્યઘર’. હોલની અંદર મંચની બન્ને બાજુ અને ઉપરની દીવાલો પર રામકિંકર બૈજ દ્વારા બનાવેલા ચિત્રો છે. એક બાજુ નારદ છે તથા બીજી બાજુ નૃત્યની મુદ્રામાં લાલન ફકીર છે. રવીન્દ્રસપ્તાહ, વર્ષામંગલ, શરદોત્સવ વગેરે કાર્યક્રમો અહીં થાય છે.

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

કાલાઘર

.

.

કાલાઘર

કલાભવન વિસ્તારમાં થોડા આગળ જતાં સંગીતભવનની પાસે કલાભવનના વિદ્યાર્થીનું છાત્રાવાસ છે જેનું નામ છે ‘કાલાઘર’. આ માટીનું ઘર છે. ઘરની દીવાલો તથા થાંભલાઓ શિલ્પોથી અલંકૃત છે. દેશ-વિદેશની વિવિધ શિલ્પકૃતિઓના અનુકરણમાં આ કૃતિઓ બનાવવામાં આવી છે. આની પરિકલ્પના નન્દલાલ બસુએ કરી હતી. વરસાદના પાણીથી આ કૃતિઓ નાશ ના પામે એટલા માટે એના પર coal tarનો લેપ નિયમિત રીતે લગાવવામાં આવે છે.

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

માધવી ગર્લ્સ હોસ્ટેલ

.

.

પેઈન્ટીંગ ડિપાર્ટમેન્ટ

.

.

.

.

.

.

ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૫)

ગૌર પ્રાંગણ

.

ગૌર પ્રાંગણ

સિંહસદ અને પાઠભવનની વચ્ચે જે મોટું મેદાન છે તેનું નામ છે ગૌર પ્રાંગણ. શાંતિનિકેતનના પૂર્વ વિદ્યાર્થી અને અધ્યાપક ‘ગૌરગોપાલ ઘોષ’ની સ્મૃતિમાં આ પ્રાંગણનું નામ ‘ગૌર પ્રાંગણ’ રાખવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્રનો જન્મદિવસ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસના અવસર પર અહીં કાર્યક્રમો રાખવામાં આવે છે.

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ

.

વિદ્યાલય ગૃહ (પાઠભવન-જૂનું ગ્રંથાગાર)

સિંહસદનની સામે ગૌર પ્રાંગણની ઉત્તર દિશામાં વિદ્યાલય ગૃહ છે. જેમાં પાઠ ભવનની ઓફિસ છે. પહેલા અહીં વિશ્વવિદ્યાલયનું ગ્રંથાગાર હતું. આ ઘરના એક માળને ૧૮૯૯માં બલવેન્દ્રનાથ ટાગોરે બનાવડાવ્યો હતો. ૧૯૦૧માં રવીન્દ્રનાથે આ ઘરમાં બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાલયનો આરંભ કર્યો હતો. આ ઘરના વરંડાને વિવિધ ચિત્રોથી સજાવવામાં આવ્યો છે. (હજુ થોડા વધુ ચિત્રો વરંડાની દીવાલો પર હતા જેના ફોટોગ્રાફ્સ લઈ શકાયા હોત. પણ બે મળેલા જીવ શાંતિથી ત્યાં બેસીને વાતો કરતા હતા. તો તેમને ખલેલ પાડવાનું યોગ્ય ન લાગ્યું).

.

છાતિમતલા

.

છાતિમતલા

.

છાતિમતલા

.

છાતિમતલા

.

છાતિમતલા

શાંતિનિકેતન આશ્રમનું પ્રાણકેન્દ્ર છે “છાતિમતલા”. એ ઉત્તરાયણની સામે સ્થિત છે. ઈ.સ. ૧૮૬૨માં મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર જ્યારે રાયપુરથી લોર્ડ ભૂવનમોહન સિંહના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આ છાતિમતલામાં થોડો સમય વિશ્રામ અને ઉપાસના કરી હતી. અહીં તેમણે ધ્યાન દરમ્યાન મનની શાંતિનો અનુભવ કર્યો હતો. ત્યારે તેમને પહેલી વખત આ જગ્યાએ શાંતિનિકેતન આશ્રમની સ્થાપના વિશે વિચાર આવ્યો હતો. આ જગ્યા છાતિમ વૃક્ષ, શાલ, તાલ, મહુઆ, બેડા દ્વારા ઘેરાયેલી છે. જેની વચ્ચે મનોરમ્ય વેદી છે. વેદીની ઉપર સફેદ પત્થરો પર લખ્યું છે “”तिनि आमार प्राणेर आराम, मनेर आनन्द, आमार शांति’. આ મહર્ષિ દેવેન્દ્રનાથની આત્મ ઉપલબ્ધિ છે.

.

કલા ભવન

.

.

કલા ભવન

.

કલા ભવન (નવનન્દન)

રવીન્દ્રભવન અને નાટ્યઘરની દક્ષિણ દિશામાં શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે આવેલું છે ‘કલાભવન’. જેનું ઉદ્દઘાટન ૧૯૮૧માં ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. કલા ભવનના જૂના ઘરનું નામ હતું ‘નન્દન’. આ નામ નન્દલાલ બસુ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પરથી જ નવા ઘરનું નામ પડ્યું ‘નવનન્દન’. અહીં પ્રદર્શન કક્ષા સિવાય સંગ્રહશાળા, ગ્રંથાગાર અને ઓફિસ છે. સંગ્રહશાળામાં પ્રતિષ્ઠિત કલાકારોના ચિત્રો તથા શિલ્પોનો સંગ્રહ છે. પ્રદર્શન કક્ષમાં ચિત્રોનું પ્રદર્શન યોજાય છે.

નવનન્દનથી થોડે દૂર કલા ભવન છે. આ વિસ્તારમાં વિખ્યાત શિલ્પિઓ રામકિંકર બૈજ, નન્દલાલ બસુ, વિનોદબિહારી મુખોપાધ્યાય, સોમનાથ હોડ પ્રભિતિ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો કે શિલ્પો મૂકવામાં આવ્યા છે. ઘરદ્વાર પણ શિલ્પકલા દ્વારા અલંકૃત છે. ભવનના વિભિન્ન સ્ટુડિઓ વિદ્યાર્થીઓ માટે ખૂલ્લા રહે છે. અહીં વિતાવેલી પ્રત્યેક ક્ષણ દર્શકોને મોહિત કરી દે છે.

                                                                                                                                                                  ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૪)

 

આમ્રકુંજ

.

આમ્રકુંજ

.

આમ્રકુંજ

.

.

આમ્રકુંજ

ઉત્તરમાં મંદિર અને દક્ષિણમાં શાલવીથિની મધ્યમાં આમ્રકુંજ છે. અહીં ખૂલ્લા આકાશમાં વૃક્ષની નીચે અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વવિદ્યાલયના અનેક કાર્યક્રમો અહીં થાય છે. પહેલાં અહીં રવીન્દ્રનાથનો જ ન્મોત્સવ, નોબેલ પુરસ્કાર પ્રાપ્તિનો અભિવાદન કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજવામાં આવતા હતા.  શાંતિનિકેતનની મુલાકાતે આવનારા મહાનુભાવો પણ અહીંથી સંબોધન કરતા હતા. હજુ પણ વિશ્વભારતીનો પદવીદાન સમારંભ આ આમ્રકુંજમાં જ યોજવામાં આવે છે.

.

ઘંટાઘર

.

બાઉલ ગીત ગાનાર

.

ઘંટાઘર

.

ઘંટાઘર

.

ઘંટાઘર

.

ઘંટાઘર

શાલ્વીથિની વચ્ચોવચ માધવી કુંજની દક્ષિણમાં ગૌરપ્રાંગણના વટવૃક્ષની નીચે ઘંટાઘર છે. પ્રાચીન બૌદ્ધ સ્તુપનું અનુકરણ કરીને આ ઘંટાઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં અહીં વિદ્યાર્થીઓના ક્લાસ લેવાય છે.

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

.

સિંહસદન

ગૌર પ્રાંગણની દક્ષિણમાં સિંહસદન છે. આ ઘરની પરિકલ્પના સુરેન્દ્રનાથ કૌરે કરી હતી. આ ઘરની છત ઉપર એક બાજુ ઘંટાઘર છે અને બીજી બાજુ ઘડિઘર છે. ઘંટના સાંકેતિક ધ્વનિથી વિદ્યાર્થિઓ સમજી જાય છે કે તે શેના માટે વગાડવામાં આવે છે. રાયપુરના જમીનદાર લોર્ડ સત્યેન્દ્રપ્રસન્ન સિંહની આર્થિક સહાયથી આ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે આ ઘરનું નામ ‘સિંહસદન’ રાખવામાં આવ્યું છે. ૧ ઓગષ્ટ ૧૯૪૦માં આ જ ઘરમાં રવીન્દ્રનાથને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયે ડી. લિટ.ની પદવીથી વિભૂષિત કર્યા હતા. વર્તમાનમાં અહીં વિશ્વવિદ્યાલયના નાના-મોટા કાર્યક્રમો અને સાહિત્યસભાનું આયોજન થાય છે.

                                                                                                                                                                  ક્રમશ:

 

 

શાંતિનિકેતન (ચિત્રકથા-3)

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

ઉપાસના ગૃહ

.

.

શીશમહલ મંદિર (ઉપાસના ગૃહ)

શાંતિનિકેતન ઘરની સામે ઉપાસના ગૃહ છે. ૧૮૯૧માં આ આ મંદિરનું નિર્માણ થયું હતું. અલગ અલગ પ્રકારના કાચથી આ ઘર બનાવવામાં આવ્યું છે. મહર્ષિ દેવેન્દ્રનાથની ઈચ્છા અને પરિકલ્પના પ્રમાણે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મૂર્તિહીન મંદિર કોઈ પણ જાતિના અને તમામ વર્ગના મનુષ્યો માટે ખૂલ્લું છે. રવીન્દ્રનાથ નિયમિત રીતે આ મંદિરની ઉપાસનામાં ભાગ લેતા હતા. દરેક બુધવારે સવારે મંદિરમાં ઉપાસના થાય છે. આ સિવાય મંદિરમાં વિશેષ પ્રસંગોએ પણ ઉપાસના થાય છે.

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

.

શાંતિનિકેતન ગૃહ

છાતિમતલાની થોડી દૂર જમણી દિશામાં જે બે માળનું મોટું ઘર છે એનું નામ શાંતિનિકેતન. મહર્ષિ દેવેન્દ્રનાથના નિર્દેશમાં ૧૮૬૩માં આ ઘરનું નિર્માણ થયું હતું. આ શાંતિનિકેતનનું જૂનામાં જૂનું ઘર છે. ઘરની ઉપર ઉપનિષદની એક પંક્તિ છે-‘सत्तामा प्रानारामं मन: आनन्दं’. અતિથિઓ શાંતિનિકેતનમાં આવીને ઘણાં દિવસો સુધી રહીને ઈશ્વરની ઉપાસના કરી શકે એટલા માટે મહર્ષિ દેવેન્દ્રનાથે આ ઘર બનાવ્યું હતું. ૧૮૭૩માં પિતા સાથે પ્રથમવાર શાંતિનિકેતનમાં આવીને રવીન્દ્રનાથ ટાગોર આ ઘરમાં થોડા દિવસો સુધી રહ્યા હતા. પછી જ્યારે રવીન્દ્રનાથ સ્થાયીરૂપમાં શાંતિનિકેતનમાં રહેવા આવ્યા ત્યારે પહેલા આ ઘરમાં રહ્યા હતા. આ ઘરની સામે રામકિંકર બૈજ દ્વારા નિર્મિત ‘અનિર્વાન શિખા’ નામની સુંદર મૂર્તિ છે.

                                                                                                                                                              ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૨)

સંતોષાલય

.

સંતોષાલય

.

સંતોષાલય

મુકુટઘરની ઉત્તર દિશામાં રેલિંગથી ઘેરાયેલું ઘર ‘સંતોષાલય’ છે. પહેલા અહીં વિદ્યાલયના છાત્રો રહેતા હતા. હવે અહીં બાળકો માટેનું છાત્રનિવાસ છે. રવીન્દ્રનાથે એમના પુત્ર રથીન્દ્રનાથને મિત્રપુત્ર સંતોષચંદ્ર મજમુદાર સાથે અમેરિકા કૃષિવિદ્યા શીખવા મોકલ્યા હતા. અમેરિકાથી પરત આવ્યા બાદ સંતોષચંદ્ર શ્રીનિકેતનમાં સ્વેચ્છાએ કાર્ય કરતા હતા. તેમના અકાળ મૃત્યુ પછી આ ઘરનું નામ સંતોષાલય રાખવામાં આવ્યું.

.

મૃણાલિની આનન્દ પાઠશાળા

.

મૃણાલિની આનન્દ પાઠશાળા

.

.

.

દેહલી

નવા ઘરની પૂર્વ દિશામાં એક નાનકડું ઘર છે એનું નામ દેહલી. ૧૯૦૯માં એને બનાવવામાં આવ્યું હતું. પત્નીના મૃત્યુ બાદ કવિ એકલા ઘણાં દિવસો સુધી આ ઘરમાં રહ્યા હતા. અહીં તેમણે અનેક કાવ્યો અને નવલકથાઓની રચનાકરી. વર્તમાનમાં દેહલીમાં ‘મૃણાલિની આનન્દ પાઠશાળા’ નામે બાળકો માટે વિદ્યાલય ચલાવવામાં આવે છે. કવિપત્નીના સ્મરણમાં ૧૯૬૧માં આ શિશુ વિદ્યાલયનો પ્રારંભ થયો હતો.

.

તીન પહાડ

.

તીન પહાડ

.

તીન પહાડ

.

તીન પહાડ

શાંતિનિકેતનના મંદિરની પાસે પૂર્વ દિશામાં એક ઉંચો માટીનો ઢગલો છે જેનું નામ છે ‘તીન પહાડ.’ આ એક નાનકડા પહાડ જેવું છે. જેના ઉપર વિશાળ વડનું વૃક્ષ છે. પહેલા એની સામે એક પાણી વગરનું તળાવ હતું. મહર્ષિ દેવેન્દ્રનાથે શાંતિનિકેતન માટે પાણીની સમસ્યા દૂર કરવા આ તળાવનું નિર્માણ કર્યું હતું. પરંતુ એમાં પાણીનો સંગ્રહ થયો નહીં. તળાવ ખોદતી વખતે જે માટી નીકળી હતી તેનાથી ત્રણ માટીના ઢગલા બન્યા. આ કારણથી જ આ જગ્યાનું નામ તીન પહાડ પડ્યું. બાદમાં બે ઢગલાનો નાશ થયા પછી પણ આ જગ્યાનું નામ તીન પહાડ જ રહ્યું. દેવેન્દ્રનાથ તીન પહાડ પાસે ઉભા રહીને સૂર્યોદય અને સૂર્યાસ્ત જોતા અને અહીં જ ધ્યાનમગ્ન થતા હતા. શિશુ રવીન્દ્રનાથ અહીં એકલા ફર્યા કરતા હતા.

.

તાલધ્વજ

.

તાલધ્વજ

.

તાલધ્વજ

ઉપાસના મંદિરની પાસે શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે ‘તાલધ્વજ’ આવેલું છે. તાડના વૃક્ષની આજુબાજુ ગોળાકાર કરીને માટીથી આ ઘર બનાવવામાં આવ્યું છે.  આશ્રમના શરૂઆતના સમયના શિક્ષક તેજસચંદ્ર સેન અહીં વસવાટ કરતા હતા. રવીન્દ્રનાથે ‘વનવાની’ કાવ્ય તેજસચંદ્ર માટે લખ્યું હતું જેમાં તેમને ‘કુટીરવાસી’ કહીને સંબોધ્યા હતા. વર્તમાન સમયમાં અહીં આશ્રમની મહિલાઓની કાર્યચર્ચાનું કેંદ્ર છે.

                                                                                                                                                                                          ક્રમશ:

શાંતિનિકેતન (ચિત્રકથા-૧)

શાંતિનિકેતનની પહેલા મુલાકાત વિશે લખ્યું હતું અને સ્કુલમાં માઈક પર રજૂઆત કરવાની તક પણ મળી હતી. જે અહીં સાઈટ મૂકવાની ઈચ્છા છે પણ ક્યાં મૂકાઈ ગયું છે તે મળતું નથી.

તો હાલ મારી શાંતિનિકેતનની બીજી મુલાકાત ચિત્રોમાં રજૂ કરું છું. મેં જે ક્રમમાં ફોટોગ્રાફ્સ લીધા હતા તે પ્રમાણે જ હું અહીં મૂકીશ.

.

દ્વિજ વિરામ

.

દ્વિજ વિરામ

.

દ્વિજ વિરામ

શાંતિનિકેતનની દક્ષિણ દિશામાં પ્રથમ ફાટક પાસે દીવાલોથી ઘેરાયેલું નળિયાની છતવાળું જે ઘર છે એનું નામ ‘દ્વિજ વિરામ’. રવીન્દ્રનાથના મોટાભાઈ દાર્શનિક દ્વિજેન્દ્રનાથ ટાગોર પોતાના જીવનના અંતિમ સમયમાં અહીં રહ્યા હતા. આ ઘરનું નામકરણ સ્વયં રવીન્દ્રનાથે કર્યું હતું. દ્વિજેન્દ્રનાથ પશુ અને વૃક્ષ પ્રેમી હતા. તેમણે અહીં ફૂલો અને ફળોના વૃક્ષો વાવીને આંગણાને સુસજ્જ બનાવ્યું હતું.

.

.

ક્લાસરૂમ

.

હિન્દી ભવન

.

હિન્દી ભવન

.

હિન્દી ભવન

.

હિન્દી ભવન

નેપાલ રોડની પૂર્વ દિશામાં વિશ્વવિદ્યાલય કેન્ટિનની  પાસે બે માળનું હિન્દી ભવન છે. ૧૯૩૯ની ૩૧મી જાન્યુઆરીએ જવાહરલાલ નહેરુ દ્વારા હિન્દી ભવનનું ઉદ્ધાટન થયું હતું. રાયબહાદુર મોતીલાલ, વિશેશરલાલ, હલવાસિયા ટ્રસ્ટની આર્થિક સહાયથી આ ભવનનું નિર્માણ થયું હતું. અહીં હિન્દી સાહિત્યનું પુસ્તકાલય છે. ભવનની અંદરની દીવાલો પર વિનોદબિહારી મુખોપાધ્યાય દ્વારા નિર્મિત નિર્મિત મધ્ય યુગના સાધુ સંતોના જીવન વિશેના ચિત્રો છે. ઈંદિરા ગાંધીએ આ ભવનમાં અભ્યાસ કર્યો હતો.

.

વિશ્વભારતી કેન્ટીન

.

શિક્ષકને બેસવાની જગ્યા

.

બ્લેકબોર્ડ

.

ચાઈનાભવન

.

ચાઈનાભવન

.

ચાઈનાભવન

 હિન્દીભવનની પશ્ચિમ દિશામાં બે માળનું ‘ચાઈનભવન’ છે. ૧૯૨૧-૨૨માં અધ્યાપક સિલભા લેભિ શાંતિનિકેતનમાં પ્રથમ વખત ચીની ભાષા અને બૌદ્ધ શાસ્ત્રની આલોચનાનું સૂત્રપાત કર્યું હતું.  ત્યારથી રવીન્દ્રનાથના મનમાં આ વિષય માટે જિજ્ઞાસા જાગી અને તેના જેના ફલસ્વરૂપ આ ભવનનું નિર્માણ થયું. ૧૯૩૭ની ૧૪મી એપ્રિલે રવીન્દ્રનાથે આ ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું. ચાઈનાભવનના પુસ્તકાલયમાં ચીની સાહિત્ય અને બૌદ્ધ શાસ્ત્રના અમૂલ્ય અને દુર્લભ પુસ્તકો અને પોથીઓ છે. વર્તમાનમાં આ ગ્રંથાગાર આખા એશિયામાં મહત્વપૂર્ણ છે. આ ઘરની દીવાલો પર નંદલાલ બસુએ ચિત્રો બનાવ્યા છે. અહીં ચીનીભાષા ઉચ્ચ સ્તર સુધી ભણવાની અને સંશોધન કરવાની વ્યવસ્થા છે.

                                                                                                                                                                                            ક્રમશ: