ન આવ્યાં – રાજ લખતરવી


રહ્યા આંખ વચ્ચે જિગરમાં ન આવ્યાં,

વળોટીને ઉંબર એ ઘરમાં ન આવ્યાં.

કહે છે કે એ બધાને જુએ છે,

અમે કેમ એની નજરમાં ન આવ્યાં?

મને પ્રશ્ન પેલી તળેટી કરે છે,

તમે કેમ પ્રહરમાં ન આવ્યાં.

બધાને સુરાનું ચડ્યું ઘેર ઘેરું,

મને એક એની અસરમાં ન આવ્યાં.

વિકટ, અતિવિકટ, દોસ્ત આવ્યા વળાંકો,

સરળ મોડ મારી ડગરમાં ન આવ્યાં.

ઘણા આમ તો ટૂંકા રસ્તા હતા પણ,

મને કામ એક્કે સફરમાં ન આવ્યાં.

ગઝલ એ નહીં તો સુભાષિત ગણાયાં,

મને જે વિચારો બહરમાં ન આવ્યાં.

ડરી કંટકોથી ગયાં એ ગયાં બસ,

ફરી ફૂલ મારા નગરમાં ન આવ્યાં.

પછી રાજ ફળશે નહીં તો થશે શું?

મને સ્વપ્ન બસ એ જ ડરમાં આવ્યાં.

( રાજ લખતરવી )

Share this

4 replies on “ન આવ્યાં – રાજ લખતરવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.