રહ્યા આંખ વચ્ચે જિગરમાં ન આવ્યાં,
વળોટીને ઉંબર એ ઘરમાં ન આવ્યાં.
કહે છે કે એ બધાને જુએ છે,
અમે કેમ એની નજરમાં ન આવ્યાં?
મને પ્રશ્ન પેલી તળેટી કરે છે,
તમે કેમ પ્રહરમાં ન આવ્યાં.
બધાને સુરાનું ચડ્યું ઘેર ઘેરું,
મને એક એની અસરમાં ન આવ્યાં.
વિકટ, અતિવિકટ, દોસ્ત આવ્યા વળાંકો,
સરળ મોડ મારી ડગરમાં ન આવ્યાં.
ઘણા આમ તો ટૂંકા રસ્તા હતા પણ,
મને કામ એક્કે સફરમાં ન આવ્યાં.
ગઝલ એ નહીં તો સુભાષિત ગણાયાં,
મને જે વિચારો બહરમાં ન આવ્યાં.
ડરી કંટકોથી ગયાં એ ગયાં બસ,
ફરી ફૂલ મારા નગરમાં ન આવ્યાં.
પછી ‘રાજ’ ફળશે નહીં તો થશે શું?
મને સ્વપ્ન બસ એ જ ડરમાં આવ્યાં.
( રાજ લખતરવી )
bahuj saras kaavita tame prastut kari chhe
haiyaa ma sosarvi utari gai.
commentby:::
Chandra.
bahuj saras kaavita tame prastut kari chhe
haiyaa ma sosarvi utari gai.
commentby:::
Chandra.
bahuj saras kaavita
bahuj saras kaavita