? City

વડોદરાને “સંસ્કારનગરી” કહેવામાં આવે છે તો વળી સુરતને “નર્મદનગરી”. એક સાહિત્યિક કાર્યક્રમમાં વલસાડને “ઉશનસનગરી” તરીકે ઓળખાવવામાં આવી હતી. આ નામ પણ ખોટું નથી. ઉશનસ જેવા મોટા ગજાના  કવિ નોકરી અર્થે વલસાડ આવ્યા અને પછી અહીં જ વસી ગયા. એનું ગૌરવ વલસાડને છે જ. પરંતુ વલસાડ માટે કોઈ નામ પ્રયોજવાનું કહે તો હું “Mango City” કહેવાનું વધારે પસંદ કરું.

ગયા વર્ષે કેરીની સિઝન ખરાબ જતાં પાક ઘણો ઓછો ઉતર્યો હતો. તેથી ગયા વર્ષે મન ભરીને કેરી ખાવા ન્હોતી મળી. આ વર્ષે ભગવાનની કૃપાથી કેરી માટે વાતાવરણ સારું રહ્યું. અને લગભગ ૧૫ માર્ચથી જ બજારમાં કેરી મળવા માંડી હતી. જો કે વલસાડી હાફુસની મોસમ હવે શરૂ થઈ છે. અને બજારમાં બાઅદબ તેનું આગમન થઈ ચૂક્યું છે. વધારે કંઈ લખવાની મારે જરૂર નથી. ફોટોગ્રાફ્સ જ બયાન કરશે.

કેરીની વાડી-કલવાડા

 

કેરીની વાડી

 

હાફુસ અને કેસર

 

હાફુસ
કેસર

 

વલસાડના વતનીઓને કેરી (હાફુસ) મુબારક!!

Share this

34 replies on “? City”

  1. વાહ !! વાહ ! મોં માં પાણી આવી ગયું. વલસાડની હાફુસ અમારે સૌરાષ્ટ્રબાજુ વહેલી આવે છે, (કેશર કરતા) તેથી લગભગ સિઝનની પહેલી કેરી હાફુસ ખવાય છે. વલસાડી હાફુસનું ખાટું અથાણું, મારા માનવા પ્રમાણે, શ્રેષ્ટત્તમ બને છે. આ વખતે ગીરની કેશરનો પણ ફાલ સારો થયો છે, લાગે છે કેરી ખાવામાં ગયા વરસનું સાટું વળી જશે !! ફળોનાં રાજાને તેના રંગમહેલમાં (બાગમાં !!) જોવાનો આનંદ આવ્યો. આભાર.

    • હીનાબહેન, લાગે છે, આજે માર્કેટમાં કેરી લેવાને બદલે કેરી ચકાસવાનો કાર્યક્રમ કરવો પડશે !!
      મેં જેને હાફુસ સમજી તે રાજાપુરી જ હોય છે, સાવ સાચું, જો કે અમારે અહીં ઘણા લોકો (મારા જેવા) તેને હાફુસ જ સમજે છે ! જો કે રસ તો ક્યાંય કેરીના વાવડ પણ ન સંભળાણાં હોય ત્યાં બજારમાં વેંચાવા માંડે છે. કદાચ (આંતરીક જાણકારી મળી તે મુજબ) પપૈયાનો છુંદો અને એસેન્સ વપરાય છે. આજે સારી માહિતી જાણવા મળી. આભાર.

      • રાજાપુરી તો હજુ બજારમાં આવી જ નથી. માત્ર અથાણા બનાવવા માટે થોડી વેચાય છે. તમને હાફુસના નામે બીજી જ કોઈ કેરી બતાવતા લાગે છે.

    • વલસાડની હાફુસની સિઝન હમણાં જ શરૂ થઈ. એટલે તમારા અહીં જે આવે છે તે વલસાડની હાફુસના નામે બીજી જ કોઈ કેરી પધરાવતા હશે.અથાણું અમારા અહીં હાફુસનું નહીં પણ રાજાપુરી કેરીનું બનાવીએ. રાજાપુરી એના નામ પ્રમાણે રાજા જ હોય છે. રાજાપુરી કેરીનો રસ ખૂબ જ સરસ નીકળે.

  2. વાહ !! વાહ ! મોં માં પાણી આવી ગયું. વલસાડની હાફુસ અમારે સૌરાષ્ટ્રબાજુ વહેલી આવે છે, (કેશર કરતા) તેથી લગભગ સિઝનની પહેલી કેરી હાફુસ ખવાય છે. વલસાડી હાફુસનું ખાટું અથાણું, મારા માનવા પ્રમાણે, શ્રેષ્ટત્તમ બને છે. આ વખતે ગીરની કેશરનો પણ ફાલ સારો થયો છે, લાગે છે કેરી ખાવામાં ગયા વરસનું સાટું વળી જશે !! ફળોનાં રાજાને તેના રંગમહેલમાં (બાગમાં !!) જોવાનો આનંદ આવ્યો. આભાર.

    • હીનાબહેન, લાગે છે, આજે માર્કેટમાં કેરી લેવાને બદલે કેરી ચકાસવાનો કાર્યક્રમ કરવો પડશે !!
      મેં જેને હાફુસ સમજી તે રાજાપુરી જ હોય છે, સાવ સાચું, જો કે અમારે અહીં ઘણા લોકો (મારા જેવા) તેને હાફુસ જ સમજે છે ! જો કે રસ તો ક્યાંય કેરીના વાવડ પણ ન સંભળાણાં હોય ત્યાં બજારમાં વેંચાવા માંડે છે. કદાચ (આંતરીક જાણકારી મળી તે મુજબ) પપૈયાનો છુંદો અને એસેન્સ વપરાય છે. આજે સારી માહિતી જાણવા મળી. આભાર.

      • રાજાપુરી તો હજુ બજારમાં આવી જ નથી. માત્ર અથાણા બનાવવા માટે થોડી વેચાય છે. તમને હાફુસના નામે બીજી જ કોઈ કેરી બતાવતા લાગે છે.

    • વલસાડની હાફુસની સિઝન હમણાં જ શરૂ થઈ. એટલે તમારા અહીં જે આવે છે તે વલસાડની હાફુસના નામે બીજી જ કોઈ કેરી પધરાવતા હશે.અથાણું અમારા અહીં હાફુસનું નહીં પણ રાજાપુરી કેરીનું બનાવીએ. રાજાપુરી એના નામ પ્રમાણે રાજા જ હોય છે. રાજાપુરી કેરીનો રસ ખૂબ જ સરસ નીકળે.

  3. આમ ફોટા બતાવીને હેરાન કરો એ ઠીક નથી.. “પેટીયુ” મોકલાવો તો અમારૂ ય “પેટ્યુ” ખુશ થઈ જાય … બાય ધ વે મસ્ત મેંગો પોસ્ટ !

  4. આમ ફોટા બતાવીને હેરાન કરો એ ઠીક નથી.. “પેટીયુ” મોકલાવો તો અમારૂ ય “પેટ્યુ” ખુશ થઈ જાય … બાય ધ વે મસ્ત મેંગો પોસ્ટ !

  5. વલસાડી હાફુસ્ના માત્ર ફૉટા જોઈ પેટ ક્યાંથી ભરાય ? હજુ સૌરાષ્ટ્રમાં આવી નથી હાલ તો રત્નાગીરી અને ગીરની કેસર ખાવને મજા કરો ! વલસાડી તો કોઈ વલસાડ વાળા કરંડીયો મોકલી આપે ત્યાં સુધી આ ફોટા જોઈને માજ કરો ! હા આ વર્ષે કેરીનો પાક ગીરમાં તથા વલસાડમાં પણ સારો હોઈ કેરી ખાવાની મોજ પડશે તે વાત સાચી ! પરંતુ જો કમાવા માટે કેમીકલથી પકવવા વહેલી ઉતારી માથામાં મારશે તો પૈસા પડી જશે ! સરકારના કોઈ ખાતા અસરકારક અમલ કરી શકતા નથી અને આ તો વળી કેરી ! ખેર ! કેરી ખાવા મળે એટલે બસ !
    આવજો ! મળતા રહીશું !

    સ-સ્નેહ
    અરવિંદ

    • અમે પકવેલી કેરી લાવતા જ નથી. ફોટોગ્રાફ્સમાં તમે જોયું હશે તે મુજબ કાચી કેરી ઘરે લાવીને જ પકવીએ છીએ. એટલે કાર્બાઈટથી પકવેલી ખાટી કેરી ખાવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. મૂળ કચ્છના પણ વલસાડ પરણેલા એક બેન મને કહેતા હતા કે કચ્છ-સૌરાષ્ટ્રમાં તો કેરીના ટોપલામાં ઓફિસીયલી કાર્બાઈટની પડીકી મૂકીને જ આપે. એવું મેં અહીં જોયું નથી.

  6. વલસાડી હાફુસ્ના માત્ર ફૉટા જોઈ પેટ ક્યાંથી ભરાય ? હજુ સૌરાષ્ટ્રમાં આવી નથી હાલ તો રત્નાગીરી અને ગીરની કેસર ખાવને મજા કરો ! વલસાડી તો કોઈ વલસાડ વાળા કરંડીયો મોકલી આપે ત્યાં સુધી આ ફોટા જોઈને માજ કરો ! હા આ વર્ષે કેરીનો પાક ગીરમાં તથા વલસાડમાં પણ સારો હોઈ કેરી ખાવાની મોજ પડશે તે વાત સાચી ! પરંતુ જો કમાવા માટે કેમીકલથી પકવવા વહેલી ઉતારી માથામાં મારશે તો પૈસા પડી જશે ! સરકારના કોઈ ખાતા અસરકારક અમલ કરી શકતા નથી અને આ તો વળી કેરી ! ખેર ! કેરી ખાવા મળે એટલે બસ !
    આવજો ! મળતા રહીશું !

    સ-સ્નેહ
    અરવિંદ

    • અમે પકવેલી કેરી લાવતા જ નથી. ફોટોગ્રાફ્સમાં તમે જોયું હશે તે મુજબ કાચી કેરી ઘરે લાવીને જ પકવીએ છીએ. એટલે કાર્બાઈટથી પકવેલી ખાટી કેરી ખાવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. મૂળ કચ્છના પણ વલસાડ પરણેલા એક બેન મને કહેતા હતા કે કચ્છ-સૌરાષ્ટ્રમાં તો કેરીના ટોપલામાં ઓફિસીયલી કાર્બાઈટની પડીકી મૂકીને જ આપે. એવું મેં અહીં જોયું નથી.

  7. કાચી કેરી જો કોઈ
    કચડ કચડ ચાવે
    તો દાંત મારા
    ખાટાં થઈ જાય….
    પાકી કેરી તો ભઈ
    મીઠી મધુરી ને,
    સ્વાદ એનો
    દાઢમાં રહી જાય….
    કેસર કેરી તો ભઈ
    તલાલા ગીરની,
    વલસાડી હાફુસ
    વખણાય….
    ફળોના રાજા કાંઈ
    અમથું થવાય નહીં
    સ્વાદ સોડમના એ
    સંગમ થી થાય…

  8. કાચી કેરી જો કોઈ
    કચડ કચડ ચાવે
    તો દાંત મારા
    ખાટાં થઈ જાય….
    પાકી કેરી તો ભઈ
    મીઠી મધુરી ને,
    સ્વાદ એનો
    દાઢમાં રહી જાય….
    કેસર કેરી તો ભઈ
    તલાલા ગીરની,
    વલસાડી હાફુસ
    વખણાય….
    ફળોના રાજા કાંઈ
    અમથું થવાય નહીં
    સ્વાદ સોડમના એ
    સંગમ થી થાય…

  9. I NEVER FORGET NUMBER ONE ” RAS ” FROM ” LANGADO ” KERI ,
    I DON’T LIKE ANY OTHER KERI .” LANGADO ” IS KING OF ” RAS ”
    I M FROM CHAROTAR .

  10. I NEVER FORGET NUMBER ONE ” RAS ” FROM ” LANGADO ” KERI ,
    I DON’T LIKE ANY OTHER KERI .” LANGADO ” IS KING OF ” RAS ”
    I M FROM CHAROTAR .

  11. લૂમઝૂમ ચિત્રો સાથે અમૃતફળ આગમનના સમાચાર આ વિદેશવાસીમાં પૂર્વજીવનના અનેક ઉનાળાઓ પ્રગટાવે છે.

  12. લૂમઝૂમ ચિત્રો સાથે અમૃતફળ આગમનના સમાચાર આ વિદેશવાસીમાં પૂર્વજીવનના અનેક ઉનાળાઓ પ્રગટાવે છે.

  13. હિનાબેન આતો તમે “કોણીએ કેરી લગાવી”. ફોટા જોઈને લાળ પાળવી પડશે. ના તો હું હમણાં ઇન્ડિયા આવી શકું એમ છું અને ના તમે કેરીનો કરંડિયો મોકલી શકો એમ છો. (તમે તો મોકલી આપો પણ અમેરિકાનું કસ્ટમ ફળ્ ફૂલ પંદડાં કે એવું લાવવા નથી દેતા). ભલે મઝા કરો.

  14. હિનાબેન આતો તમે “કોણીએ કેરી લગાવી”. ફોટા જોઈને લાળ પાળવી પડશે. ના તો હું હમણાં ઇન્ડિયા આવી શકું એમ છું અને ના તમે કેરીનો કરંડિયો મોકલી શકો એમ છો. (તમે તો મોકલી આપો પણ અમેરિકાનું કસ્ટમ ફળ્ ફૂલ પંદડાં કે એવું લાવવા નથી દેતા). ભલે મઝા કરો.

  15. દરેક ઋતુને પોતાનું આગવું મહત્ત્વ હોય છે અને દરેક મોસમ વિવિધ ફલો લઇને આવે છે. જો કે વર્ષ દરમિયાન મળતા તમામ ફલોનો રાજા ‘કેરી’ની વાત કંઇક જુદી જ છે. આ અમૃતફળમાં સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય તેવી અનેક બાબતો છે અને લોકો ઉનાળા દરમિયાન કેરીનો વિવિધ સ્વરૃપે ઉપયોગ કરવાનું ભાગ્યે જ ચુક્તા હશે.

    કેરીમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ કેન્સરથી માંડી ચામડીના રોગોમાં ઉપયોગી ઃ પાચનશક્તિમાં પણ વધારો કરે છે

    માત્ર સ્વાદમાં જ નહીં પણ ગુણધર્મોની દ્રષ્ટિએ પણ કેરી ઉત્તમ ગણાય છે. કેરીમાં એવા ગુણો છે જે હૃદયરોગ, સમય કરતા વહેલા વૃધ્યત્વ અને કેન્સર જેવી બિમારીઓ સામે અકસિર ઇલાજ પૂરો પાડે છે. કેરીમાં શક્તિશાળી ‘એન્ટિઓક્સિડન્ટ’ હોય છે જે સ્વાસ્થાયને સુદ્રઢ બનાવવામાં ઘણું મદદરૃપ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેરીમાં લોહતત્ત્વ હોય છે જે ગર્ભવતિ મહિલાઓ અને એનિમિયાથી પીડાતી વ્યક્તિ માટે ફાયદાકારક છે. જો કે કેરીનું કેટલા પ્રમાણમાં સેવન કરવાથી ફાયદો થસે તે જાણવા માટે તબિબની સલાહ તો અનિવાર્ય છે. ગરમીના કારણે ગુમડાં થવાની તકલીફથી પીડાતા લોકો માટે પણ ‘ફળોનો રાજા’ ઉપચાર સાથે હાજર છે. ગુમડાં પર કેરીની ચીર ૧૦ મીનીટ રાખી મુક્યા બાદ પાણીથી સાફ કરી નાખવાથી પણ ફાયદો થાય છે.

    આ ઉપરાંત ખોરાકના પાચનમાં તકલીફની ફરિયાદ હોય તેમના માટે પણ કેરીનું સેવન ગુણકારી છે. પોટેશિયમથી ભરપુર કેરી હાઈબ્લડ પ્રેશરને ઘટાડવામાં પણ મદદરૃપ થાય છે. કેરીના ફાયદા અંગે થયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરાવથી કિડનીમાં પથરીની તકલીફથી બચી શકાય છે. ચીની તબિબિશાસ્ત્રમાં પણ કેરીને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીવર્ગ માટે કેરી ઘણી ગુણકારી છે કારણ કે તેમાં ‘ગ્લુટામિન એસિડ’ હોય છે. આ પ્રોટીન એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં ઘણું લાભકારક છે. ઉપવાસના દિવસે બિનઆરોગ્યપ્રદ ચિપ્સ અને અન્ય સામગ્રી ‘આરોગવા’ કરતા નિષ્ણાંતો કેરી ખાવાને વધુ ફાયદાકારક ગણાવે છે. આ ઉપરાંત કેરીમાં વિટામીન સી પણ હોય છે જે પણ ગુણકારી ગણાય છે ! ટૂંકમાં કેરી ખાવી જોઇએ કારણ કે સ્વાસ્થ્ય માટે સારી છે અને તેની મોસમ ‘બારેમાસ’ હોતી નથી !

  16. દરેક ઋતુને પોતાનું આગવું મહત્ત્વ હોય છે અને દરેક મોસમ વિવિધ ફલો લઇને આવે છે. જો કે વર્ષ દરમિયાન મળતા તમામ ફલોનો રાજા ‘કેરી’ની વાત કંઇક જુદી જ છે. આ અમૃતફળમાં સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય તેવી અનેક બાબતો છે અને લોકો ઉનાળા દરમિયાન કેરીનો વિવિધ સ્વરૃપે ઉપયોગ કરવાનું ભાગ્યે જ ચુક્તા હશે.

    કેરીમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ કેન્સરથી માંડી ચામડીના રોગોમાં ઉપયોગી ઃ પાચનશક્તિમાં પણ વધારો કરે છે

    માત્ર સ્વાદમાં જ નહીં પણ ગુણધર્મોની દ્રષ્ટિએ પણ કેરી ઉત્તમ ગણાય છે. કેરીમાં એવા ગુણો છે જે હૃદયરોગ, સમય કરતા વહેલા વૃધ્યત્વ અને કેન્સર જેવી બિમારીઓ સામે અકસિર ઇલાજ પૂરો પાડે છે. કેરીમાં શક્તિશાળી ‘એન્ટિઓક્સિડન્ટ’ હોય છે જે સ્વાસ્થાયને સુદ્રઢ બનાવવામાં ઘણું મદદરૃપ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેરીમાં લોહતત્ત્વ હોય છે જે ગર્ભવતિ મહિલાઓ અને એનિમિયાથી પીડાતી વ્યક્તિ માટે ફાયદાકારક છે. જો કે કેરીનું કેટલા પ્રમાણમાં સેવન કરવાથી ફાયદો થસે તે જાણવા માટે તબિબની સલાહ તો અનિવાર્ય છે. ગરમીના કારણે ગુમડાં થવાની તકલીફથી પીડાતા લોકો માટે પણ ‘ફળોનો રાજા’ ઉપચાર સાથે હાજર છે. ગુમડાં પર કેરીની ચીર ૧૦ મીનીટ રાખી મુક્યા બાદ પાણીથી સાફ કરી નાખવાથી પણ ફાયદો થાય છે.

    આ ઉપરાંત ખોરાકના પાચનમાં તકલીફની ફરિયાદ હોય તેમના માટે પણ કેરીનું સેવન ગુણકારી છે. પોટેશિયમથી ભરપુર કેરી હાઈબ્લડ પ્રેશરને ઘટાડવામાં પણ મદદરૃપ થાય છે. કેરીના ફાયદા અંગે થયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરાવથી કિડનીમાં પથરીની તકલીફથી બચી શકાય છે. ચીની તબિબિશાસ્ત્રમાં પણ કેરીને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીવર્ગ માટે કેરી ઘણી ગુણકારી છે કારણ કે તેમાં ‘ગ્લુટામિન એસિડ’ હોય છે. આ પ્રોટીન એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં ઘણું લાભકારક છે. ઉપવાસના દિવસે બિનઆરોગ્યપ્રદ ચિપ્સ અને અન્ય સામગ્રી ‘આરોગવા’ કરતા નિષ્ણાંતો કેરી ખાવાને વધુ ફાયદાકારક ગણાવે છે. આ ઉપરાંત કેરીમાં વિટામીન સી પણ હોય છે જે પણ ગુણકારી ગણાય છે ! ટૂંકમાં કેરી ખાવી જોઇએ કારણ કે સ્વાસ્થ્ય માટે સારી છે અને તેની મોસમ ‘બારેમાસ’ હોતી નથી !

  17. વલસાડની હાફુસ કેરી (કે આંબા)મોકલવા બદલ આભાર!
    અહીં મુંબઈમાં કેરીની મોસમમાં શરુઆતમા રત્નાગીરિ-દેવગઢ તરફથી હાફુસ-પાયરી આવે છે. એપ્રિલ(અંત)-મે મહિનાથી વલસાડની કેરી આવે છે. મુંબઈગરા ભરપેટ કેરીનો આનંદ જુનમા વરસાદ આવે ત્યાં સુધી માણે છે.

  18. વલસાડની હાફુસ કેરી (કે આંબા)મોકલવા બદલ આભાર!
    અહીં મુંબઈમાં કેરીની મોસમમાં શરુઆતમા રત્નાગીરિ-દેવગઢ તરફથી હાફુસ-પાયરી આવે છે. એપ્રિલ(અંત)-મે મહિનાથી વલસાડની કેરી આવે છે. મુંબઈગરા ભરપેટ કેરીનો આનંદ જુનમા વરસાદ આવે ત્યાં સુધી માણે છે.

  19. હિના
    લેખ તારો મોડો વાંચ્યો. પણ બહુ જ ગમ્યો. વલસાડની કેરીઓનું દર્શન કરીને વર્ષો પહેલાનું બારડોલી યાદ આવી ગયું. બારડોલી ઘણાં વર્ષ રહેલા . અને ત્યાંની કેરીઓ જે ખાધી છે તેવી પછી ખાવાનો અવસર મળેલ નથી. દક્ષિણ ગુજરતની એક અલગ મજા હોય છે .એ પણ અનુભવેલું . ગુજરાતનો એક એક હિસ્સો પોતાનું અલગ મહત્વ ધરાવે છે . એ બારડોલી વલસાડ વાપી ને જૉઈને અનુભવેલું.
    આભાર

  20. હિના
    લેખ તારો મોડો વાંચ્યો. પણ બહુ જ ગમ્યો. વલસાડની કેરીઓનું દર્શન કરીને વર્ષો પહેલાનું બારડોલી યાદ આવી ગયું. બારડોલી ઘણાં વર્ષ રહેલા . અને ત્યાંની કેરીઓ જે ખાધી છે તેવી પછી ખાવાનો અવસર મળેલ નથી. દક્ષિણ ગુજરતની એક અલગ મજા હોય છે .એ પણ અનુભવેલું . ગુજરાતનો એક એક હિસ્સો પોતાનું અલગ મહત્વ ધરાવે છે . એ બારડોલી વલસાડ વાપી ને જૉઈને અનુભવેલું.
    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.