મીરાં કહે છે તેમ
આપણે તો ભૈ
“ચિઠ્ઠીના ચાકર” ને
માલિકની મરજીમાં રે’વાનું
પછી ભલે ને હોય
પીડાના પહાડ
કે –
દુ:ખના દરિયા.
બસ,
આપણે તો ઉછીના શ્વાસમાં
જીવ્યા કરવાનું !
થોડાંક સુખનાં અમીછાંટણાં કરે
તો –
રાજીના રેડ થૈ ઘડીક હસવાનું !
પછી –
માલિકની ચિઠ્ઠી ફાટતાં વેંત
અહીંથી ઉચાળા ભરી જવાનું !
ને આમ જ
માલિકની મરજીમાં
બસ, આ જિંદગીમાં રહેવાનું.
મીરાં કહે છે તેમ
આપણે તો ભૈ….
.
( ફ્રેડરિક બી. કિશ્ચિયન )