મંઝિલ (ત્રણ કાવ્યો)-જયંત દેસાઈ

(૧)

મ્હારાં

બધાં બારીબારણાં ખુલ્લાં રાખીને,

મનોરમ હેંગરો પરથી

રસ્તાઓને આકર્ષક રીતે

લટકાવીને

હું ટાંપીને બેસી જ રહું છું.

કોઈ બિચારી, ભલી-ભોળી

મંઝિલ, લલચાઈને

ડોકાવે એટલી જ વાર…

.

(૨)

હાં, દોસ્ત!!

મને ય તારી જેમ જ

મંઝિલોના ‘કલેક્શન’નો

શોખ છે.

અદલાબદલી કરવાનું મન

પણ ઘણું થાય છે,

પણ શું કરું ?

કમ-સે-કમ

કોઈ પણ બે તો સરખી

નીકળવી

જોઈએ, ને ?!!!

.

(૩)

જ્યારે જ્યારે,

હું જેવું પગલું માંડું,

ને રસ્તો

ઝાડની બખોલમાં ભરાઈ જાય…

ત્યારે ત્યારે

મને થઈ આવે છે :

‘મારી મંઝિલોનો

ઉદ્ધાર કદી થઈ

શકવાનો નથી કદાપિ નહીં…’

.

(જયંત દેસાઈ)

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.