(૧)
જરા, જો તો…..
કોણ
દરવાજો ખટખટાવે છે ? !!
અરે, હા ! સાંભળ,
કદાચે’ક તો
પેલું નવરું, નખ્ખોદિયું
મોત જ હશે-
એ જો નીકળે, ને ??
તો કહી દેજે :
“નથી”, ‘એ’ તો બહાર ગયા છે.
.
(૨)
બસ
એક જ મિનીટ થોભી જા.
મોતને છેલ્લી
કાકલૂદી કરી જો ઉં…..
કદાચ,
માની યે જાય !!
આમે, જન્મોનાં ચોપાનિયાં
ઉથલાવતાં જ તો એને જડી’તી
મારી છબિ-
જોવી છે તારે ??
એણે ‘સાઈન’ પણ કરી છે, પાછળ !!
.
(૩)
આ દુનિયામાં
ગતાગમ જેવી ય કોઈ
ચીજ તો હશે, ને ?
હમણાં, જ
યમરાજનો ટેલિફોન આવ્યો હતો-
લાગે છે : હમણાં હમણાંથી
એમની ‘ડીરેક્ટરી’નાં
‘પ્રિન્ટીંગ’માં
કંઈને કંઈ ‘ફિયાસ્કો’
થયા જ કરે છે.
મેં તો કહી દીધું : ‘રોંગ નંબર ….. !’
હા વળી !!
એ
કોણ રોજ ઉઠીને …………………!!
.
( જયંત દેસાઈ )
સરસ ,
વધુ કહેવાનું મન થય છે
હું પુછુ છું કે આ યમરાજની ફરજ બદલી ક્યારે થશે ?
સરસ ,
વધુ કહેવાનું મન થય છે
હું પુછુ છું કે આ યમરાજની ફરજ બદલી ક્યારે થશે ?