મૌન ધારીને મનન કરવાનું
જાતનું અર્થઘટન કરવાનું
.
એક શૂન્યાવકાશ છે ભીતર
ત્યાં વિચારોનું વહન કરવાનું
.
સહુ પ્રથમ પાંખને સમજવાની
એ પછી મુક્ત ગગન કરવાનું
.
એક વર્તુળમાં છે ગતિ સહુની
એટલે આવાગમન કરવાનું
.
બે’ક ગઝલ તો હોય કે જેનું
જાત સામે જ પઠન કરવાનું
.
( ઉર્વીશ વસાવડા )