મૌન ધારીને – ઉર્વીશ વસાવડા

મૌન ધારીને મનન કરવાનું

જાતનું અર્થઘટન કરવાનું

.

એક શૂન્યાવકાશ છે ભીતર

ત્યાં વિચારોનું વહન કરવાનું

.

સહુ પ્રથમ પાંખને સમજવાની

એ પછી મુક્ત ગગન કરવાનું

.

એક વર્તુળમાં છે ગતિ સહુની

એટલે આવાગમન કરવાનું

.

બે’ક ગઝલ તો હોય કે જેનું

જાત સામે જ પઠન કરવાનું

.

( ઉર્વીશ વસાવડા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.