કાશ ! – ગુણવંત શાહ

[ડો. કૈલાસ સંઘવી વ્યાખ્યાનશ્રેણી અંતર્ગત આજે સવારે ૧૦.૦૦ વાગ્યે ડો. મોંઘાભાઈ મેમોરિયલ હોલ, વલસાડ ખાતે ડો. ગુણવંત શાહનું વ્યાખ્યાન છે. આ નિમિત્તે ડો. ગુણવંત શાહની એક કવિતા આજે ખાસ પોસ્ટ કરું છું.]

.

અંધારી રાતે ચાલતી વેળા પગમાં કાંટો ભોંકાય ત્યારે

એક પગે ઊભા રહીને

બીજા પગમાંથી કાંતો કાઢતી વખતે

આકાશના તારા પર નજર ઠેરવવી

એને હું વિષાદયોગ કહું છું.

*   *

આંખમાં આંસુ ખૂટે નહીં ત્યારે

માણસ એક એવો ખભો ઝંખે

જેના પર માથું ટેકવીને નિરાંતે રડી શકાય.

આવો ખભો ન મળે ત્યારે

પોતાના ઘૂંટણ પર આંસુ સારવાં સારાં

પરંતુ

ગમે તે ખભો તો ન જ ચાલે.

Don’t waste your tears please !

*   *

રક્તદાન આપનાર અને લેનાર બે જણ

એકબીજાને ન મળે તો ય મળેલા ગણાય.

ખૂન કરનારો જેને ખતમ કરે તેને મળે છે

અને છતાંય

મળવાનું ચૂકી જાય છે.

સામી વ્યક્તિને મળવાનું માનીએ તેટલું સહેલું નથી.

કાશ ! આપણે મળી શક્યાં હોત !

.

( ગુણવંત શાહ )

Share this

6 replies on “કાશ ! – ગુણવંત શાહ”

  1. સાહબની , ભુજ સરસ, કવિતા
    વિચારોથી મિલન
    શબ્દોથી મિલન
    નજરોથી મિલન
    સામસામે આબેહુબ મિલન
    ને કાગળ પર મિલન
    મિલન એક પ્રક્રિયા છે
    જેમો અનેક વલયો ઉદભવે છે

  2. સાહબની , ભુજ સરસ, કવિતા
    વિચારોથી મિલન
    શબ્દોથી મિલન
    નજરોથી મિલન
    સામસામે આબેહુબ મિલન
    ને કાગળ પર મિલન
    મિલન એક પ્રક્રિયા છે
    જેમો અનેક વલયો ઉદભવે છે

  3. સાહબની , ભુજ સરસ, કવિતા
    વિચારોથી મિલન
    શબ્દોથી મિલન
    નજરોથી મિલન
    સામસામે આબેહુબ મિલન
    ને કાગળ પર મિલન
    મિલન એક પ્રક્રિયા છે
    જેમો અનેક વલયો ઉદભવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.