આયનો – તુરાબ હમદમ

જેટલું કોઈ ગરજતું હોય છે,

એટલું ક્યાં એ વરસતું હોય છે.

.

કો’ક દિ આવી ચડે કોઈ સ્મરણ,

કેટલી પીડા સરજતું હોય છે.

.

એક પરપોટો હતો ફૂટી ગયો,

કોઈનું ક્યાં કંઈ ઉપજતું હોય છે.

.

જીવ નાદાની કરી લે છે કદી,

મન બધી વાતે સમજતું હોય છે.

.

આયનો એકીટશે જોયા કરે,

જો કોઈ શણગાર સજતું હોય છે.

.

આમ ઊગી નીકળી ‘હમદમ’ ગઝલ

શબ્દનું કેવું ઉપજતું હોય છે.

.

( તુરાબ હમદમ )

Share this

2 replies on “આયનો – તુરાબ હમદમ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.