ઘોંઘાટ મને પજવતો નથી
ભીડ મને સતાવતી નથી.
છેતરપિંડીથી હું ટેવાઈ ગયો છું
અને
ઘટામાળિયું જીવન સદી ગયું છે.
છતાં ય
મને કોઈ પ્રેમ કરે તે ગમે છે.
આ દુનિયામાં
એકાદ જણ પણ
મને ખરેખર ચાહતું હોય
તો
હું જીવવા માગું છું, ધરાઈને જીવવા માગું છું
જેથી
ઘોંઘાટ, ભીડ, છેતરપિંડી, ઘટમાળ-બધું ય
પાછળ મેલીને
નિરાંતે મરી શકું;
મરીને જીવી શકું.
મને ભૂખ નથી,
માત્ર તરસ છે
કોઈકને માટે
સતત તલસતાં રહેવાની
અને વરસતાં રહેવાની.
.
( ગુણવંત શાહ )
પ્રેમ કરે એ ગમે છે ને? તો એની પર જ ધ્યાન આપવું જોઈએ સતત…જીવો ધરાઈ ને…તરસો પણ અને વરસો પણ…
પ્રેમ કરે એ ગમે છે ને? તો એની પર જ ધ્યાન આપવું જોઈએ સતત…જીવો ધરાઈ ને…તરસો પણ અને વરસો પણ…